નેવી ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કહ્યું કે ભારત આવતા મહિને ત્રણ વધારાની સ્કોર્પિન સબમરીન ખરીદવાના સોદાને અંતિમ સ્વરૂપ આપવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે નવી સ્કોર્પિન સબમરીનનું નિર્માણ મઝાગોન ડોકયાર્ડમાં ફ્રેન્ચ નેવલ ગ્રુપના સહયોગથી કરવામાં આવશે.
ઓડિશાના પુરીમાં નેવી ડેની ઉજવણી કરવામાં આવશે. જેના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. દરમિયાન, સોમવારે નેવી ડે પહેલા, નેવી ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કહ્યું કે ભારત આવતા મહિને ત્રણ વધારાની સ્કોર્પિન સબમરીન ખરીદવા માટેના સોદાને અંતિમ સ્વરૂપ આપવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે નવી સ્કોર્પિન સબમરીનનું નિર્માણ મઝાગોન ડોકયાર્ડમાં ફ્રેન્ચ નેવલ ગ્રુપના સહયોગથી કરવામાં આવશે.
નૌકાદળના ચિફે કહ્યું કે, નવી સબમરીનમાં 60 ટકા સુધી સ્વદેશી સામગ્રીનો સમાવેશ કરવામાં આવશે. ત્રણ સ્કોર્પિન ક્લાસ સબમરીનથી નેવીની તાકાત અનેક ગણી વધી જશે. કારણ કે ચીન સમુદ્રમાં પોતાની શક્તિને ખૂબ જ ઝડપથી વધારી રહ્યું છે, આ સ્કોર્પિન સબમરીન પણ ભારતની તાકાત વધારશે અને તેનાથી સમુદ્રમાં ભારતની સુરક્ષા ક્ષમતા વધુ મજબૂત થશે. આ સાથે ચીન અને પાકિસ્તાનની નૌકાદળની ગતિવિધિઓ પર નજીકથી નજર રાખવામાં આવશે. આ સબમરીનને અદ્યતન ટેક્નોલોજીનો સમાવેશ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં સ્વદેશી યુદ્ધ વ્યવસ્થાપન પ્રણાલીની સુવિધા હશે, જે સબમરીનની ઓપરેશનલ ક્ષમતામાં વધારો કરશે. આ સબમરીનના સંપાદનનો અંદાજિત ખર્ચ ₹40,000 કરોડ (લગભગ $5 બિલિયન) છે.
દરિયામાં ભારતની તાકાત વધશે
ભારત તેની સૈન્ય ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, આ સબમરીનની ખરીદી તેના નૌકાદળના કાફલાને આધુનિક બનાવવા અને સમુદ્રની અંદર તેની પ્રતિરોધક ક્ષમતાઓને મજબૂત બનાવવાની ભારતની વ્યાપક પહેલનો એક ભાગ છે. આ સોદો ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની અપેક્ષા છે, જે ખાસ કરીને ચીન અને પાકિસ્તાન જેવા પ્રાદેશિક પ્રતિસ્પર્ધીઓ તરફથી વધતા દરિયાઈ જોખમોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ છે.
ઓક્ટોબરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ રૂ. 40,000 કરોડના ખર્ચે મંજૂરી આપી હતી. બે 9,800 ટનની ન્યુક્લિયર પાવર્ડ એટેક સબમરીન (SSN)માંથી પ્રથમ 2036-37 સુધીમાં ઇન્ડક્શન માટે તૈયાર થઈ જશે. થોડા વર્ષો પછી અન્ય સબમરીનનો પણ સમાવેશ કરવામાં આવશે.