- હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા નવ મહિનાથી યુદ્ધ યથાવત્
- ઈઝરાયલના હુમલામાં ગાઝા શહેર સ્મશાન બન્યું
- હમાસ બંધકોને હજી નહિ છોડવા મક્કમ જ્યારે ઈઝરાયલ મરણિયું બન્યું
મિડલ ઈસ્ટ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા નવ મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈઝરાયલની સેનાએ એક મોટું નિવેદન આપ્યું છે. જે પ્રમાણે ગત સાત ઑક્ટોબરે માર્યા ગયેલા બંધકોને લીધે ઈઝરાયલી ગોળીબાર નહોતો કર્યાનો ખુલાસો કર્યો છે. એટલે કે ઈઝરાયલના ગોળીબારમાં હમાસના આંતકીઓ નહોતા મર્યા પરંતુ હમાસના આતંકીઓએ મોત નિપજાવ્યું હતું.
ઈઝરાયલનું સૈન્ય ગત વર્ષે હમાસના હુમલા દરમિયાન માર્યા ગયેલા બંધકોના મોતને કારણને લઈ સ્પષ્ટતા આપી છે. સેનાએ ગુરુવારે જણાવ્યું કે ગત વર્ષે સાત ઑક્ટોબરે એક ઘરમાં રખાયેલા ઈઝરાયલી બંધકોના મોત તેઓના ગોળીબારમાં નહોતા થયા. આ તારણ એ ઘટના સાથે સંકળાયેલ સૈન્યની પ્રથમ તપાસનો હિસ્સો છે. ઘરમાં બંધક બનાવેલા લોકો ટેંકની ગોળીબારીમાં માર્યા ગયા હતા. જો કે સૈન્યએ એ ટેંક હુમલામાં ખુદને નિર્દોષ જણાવ્યું હતું. પરંતુ તેને દેશના નાગરિકોની રક્ષા કરવાના પોતાના મુખ્ય મિશનમાં ઘણી નિષ્ફળતાઓનો સ્વીકાર કર્યો હતો.













