- ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 21મો દિવસ છે
- ઇઝરાયેલે ગાઝામાં હમાસના સીમિત સ્થાનો પર હુમલો કર્યો
- આ જમીન હુમલાને મોટા હુમલાની તૈયારી તરીકે માનવામા આવે છે
ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 21મો દિવસ છે. હમાસના આતંકવાદીઓએ અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ ચાલી રહેલા યુદ્ધમાં ઓછામાં ઓછા 1400 ઈઝરાયેલના મોત થયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદથી ઇઝરાયેલના જવાબી બોમ્બમારોમાં 7,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. યુનાઈટેડ નેશન્સે ચેતવણી આપી છે કે ગાઝામાં ક્યાંય સુરક્ષિત નથી કારણ કે ઈઝરાયેલ સંભવિત ભૂમિ આક્રમણની તૈયારીમાં બોમ્બ વિસ્ફોટો અને હુમલાઓ વધારી રહ્યું છે.
ઈઝરાયેલે 24 કલાકમાં ત્રીજી વખત ઉત્તરી ગાઝા પર હુમલો કર્યો
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ કહ્યું કે તેણે ઉત્તરી ગાઝામાં 24 કલાકમાં ત્રીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. સેનાએ હમાસના સ્થાનો પર હુમલો કર્યો, જેમાંથી કેટલાક ગાઝા શહેરમાં હતા. હમાસના સભ્યો, એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચિંગ પેડ્સ અને હમાસ હેડક્વાર્ટરને નિશાન બનાવવામાં આવ્યા હતા. કોઈ સૈનિક ઘાયલ થયા ન હતા.
'હમાસ બંધકોને છોડવા તૈયાર છે, પરંતુ...': ઈરાન
ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાયાને કહ્યું કે હમાસ બંધક બનેલા લોકોને મુક્ત કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે ઇઝરાયેલની જેલમાં બંધ 6,000 પેલેસ્ટિનિયનોની મુક્તિ માટે સમર્થન કરવું જોઈએ. જો આમ થશે તો હમાસ બંધકોને પણ મુક્ત કરશે. તે સાથે જ તેમણે અમેરિકાને ચેતવણી પણ આપી છે. ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાયાને ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રમાં ચેતવણી આપી હતી કે જો ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલની જવાબી કાર્યવાહી બંધ નહીં થાય તો અમેરિકા પણ આ આગમાંથી બચી શકશે નહીં. પશ્ચિમ એશિયા પર જનરલ એસેમ્બલીની બેઠક દરમિયાન, અબ્દુલ્લાહિયાને યુએસ પર ગાઝામાં નરસંહારનું સંચાલન કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે હું અમેરિકન રાજનેતાઓને સ્પષ્ટપણે કહું છું કે અમે આ ક્ષેત્રમાં યુદ્ધનું વિસ્તાર નથી ઈચ્છતા. પરંતુ, જો ગાઝામાં નરસંહાર ચાલુ રહેશે, તો તેઓ પણ આ આગમાંથી બચી શકશે નહીં.