• ઈઝરાયલના રિટાર્યડ ભૂતપૂર્વ સેના મેજર જનરલ અમોસ યાડલિનનું નિવેદન
  • ભારતે G-20 સમિટમાં આફ્રિકી સંઘને શામેલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી 
  • ભારત અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વના છે
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિમાં આજે ચાર દિવસ થયા છે ત્યારે 1600 થી વધુ લોકોના મોત થયા છે અને તેની સાથે જ 6000 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયલે ગાઝા બોર્ડર પર પોતાનો કબ્જો સ્થાપિત કરી લીધો છે. હાલમાં બંને વચ્ચે યુદ્ધવિરામ કે શાંતિના કોઈ સંકેત જોવા મળી રહ્યા નથી ત્યાં ઈઝરાયલના રિટાર્યડ ભૂતપૂર્વ સેના મેજર જનરલ અમોસ યાડલિને જણાવ્યું કે, જો વડાપ્રધાન મોદી ઈઝરાયલના મામલે હસ્તક્ષેપ કરે છે તો તેમનું સ્વાગત છે.

આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. જે પછી પીએમ મોદીએ જણાવ્યું કે, ભારતના લોકો આ મુશ્કેલ સ્થિતિમાં તેમની સાથે છે. અમે તમામ પ્રકારના આતંકવાદની સામે જંગમાં તમારી સાથે છે. જે પછી એક ઈન્ટવ્યુમાં રિટાર્યડ મેજર યાડલિનને જ્યારે પૂછવામાં આવ્યું કે, જે પ્રમાણે ભારતે G-20 સમિટમાં આફ્રિકી સંઘને શામેલ કરવા માટે તમામ દેશોને મનાવી લીધા હતા તેમ શું ઈઝરાયલના મામલે પણ શું ભારત મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે. જેના જવાબમાં યાડલિને કહ્યું કે, વડાપ્રધાન મોદીના ચમત્કારનું સ્વાગત કરવામાં આવશે.

આ સાથે જ યાડલીને કહ્યું, હમાસ કોઈપણ પ્રકારની વાટાઘાટો માટે તૈયાર નથી. શાંતિની કોઈ વાત નથી. હમાસ એક આતંકવાદી સંગઠન છે, જેમ કે ISIS કે અન્ય આતંકવાદી સંગઠનો છે. તેઓ મહિલાઓ, બાળકોની ખૂબ જ ક્રૂર રીતે હત્યા કરે છે. જો PM મોદી શાંતિ માટેનો ચમત્કાર કરે છે અને અમે તેમના નેતૃત્વને અનુસરીશું. ભારત અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વના છે અને તેનું સ્વાગત કરીશું.

ઇઝરાયેલના મિલિટરી ઇન્ટેલિજન્સનાં ભૂતપૂર્વ વડા નિવૃત્ત મેજર જનરલે જણાવ્યું હતું કે જો PM મોદી શાંતિ માટે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરશે તો ઇઝરાયલ તેમનું સ્વાગત કરશે. પરંતુ હમાસ શાંતિ ઈચ્છતી નથી.જેમા ભારતની સરહદે પણ પાકિસ્તાન ચીન જેવા દેશો છે. ત્યારે અમારી સરહદ પર પણ ગાઝા, હિજબુલ્લા જેવા આતંકીથી લઈ ઈરાન અને સીરિયા જેવા દેશો રહેલા છે.

  • Follow us on: