- ઇઝરાયલી હુમલાઓમાં 90થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા
- ઇઝરાયલી સેનાએ હમાસના લડવૈયાઓની ધરપકડ કરવાનો દાવો કર્યો
- ગાઝા શહેરમાં થયેલા હુમલામાં અલ-મુગરાબી પરિવારના 76 સભ્યો માર્યા ગયા
ઇઝરાયલી સેનાના હુમલામાં શુક્રવારે ગાઝા પટ્ટીમાં ઓછામાં ઓછા 90 લોકોના મોત થયા છે. જેમાં એક જ પરિવારના 76 લોકોનો પણ સમાવેશ થાય છે. ગાઝા નાગરિક સંરક્ષણ વિભાગના પ્રવક્તા મહમૂદ બસ્સલે શનિવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગાઝામાં ઈઝરાયેલી સેના દ્વારા બે ઈમારતો પર મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં 90થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આ હુમલામાં અલ-મુગરાબી પરિવારના મોટાભાગના લોકો માર્યા ગયા છે.
મહમૂદ બસસલના જણાવ્યા અનુસાર શુક્રવારે થયેલા હવાઈ હુમલામાં બે મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. જેમાંથી એક ગાઝા શહેરમાં અને બીજો નુસરતના શહેરી વિસ્તારમાં હતો. ગાઝા શહેરમાં થયેલા હુમલામાં અલ-મુગરાબી પરિવારના 76 સભ્યો માર્યા ગયા હતા. મૃતકોમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના અનુભવી કર્મચારી ઇસમ મુગરાબી પણ હતા જેઓ તેમની પત્ની અને તેમના પાંચ બાળકો સાથે બિલ્ડિંગમાં રહેતા હતા. તેણે ગાઝા શહેરમાં આ ઈમારત પર શુક્રવારના હુમલાને વર્તમાન યુદ્ધના સૌથી ઘાતક હુમલાઓમાંથી એક ગણાવ્યો હતો.













