• બેલેટ કે બુલેટ? પસંદ ભારતની: પન્નુ

  • પંજાબને આઝાદ કરવા માટે કરી માંગ
  • હિંસા હિંસાને જન્મ આપે છે: ગુરૂપતવંત

ખાલિસ્તાની આતંકી અને સિખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરૂપતવંત સિંહ પન્નુએ એક વાર ફરી ભારત સરકાર અને પંજાબના સીએમ ભગવંત માનને ધમકી આપી છે. પન્નુએ એક નવો વિડીયો શેર કરીને ભારત સરકારને હમાસ ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલ યુદ્ધને લઈને ધમકીના સ્વરમાં સલાહ આપી છે. પન્નુએ પંજાબને ભારતનો હિસ્સો ગણાવતા તેને આઝાદ કરવાની માંગ કરી છે.

પન્નુએ કહ્યું: ઇઝરાયલ પેલેસ્ટાઇન સંઘર્ષમાંથી શીખો

ગુરૂપતવંત સિંહ પન્નુએ વિડીયો શેર કરતાં કહ્યું છે કે ભારત સરકારે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન તણાવને લઈને શીખ લેવી જોઈએ. કબજા હેઠળના પંજાબના લોકો રિએક્ટ કરશે. હિંસા હિંસા પેદા કરે છે. જો ભારત પંજાબ પર પોતાનો કબજો રાખશે તો તેના ખતરનાક પરિણામો આવશે અને તેના માટે ભારત સરકાર જવાબદાર રહેશે. SFJને બેલેટ અને વોટમાં વિશ્વાસ છે. પંજાબની આઝાદી હવે નક્કી છે. હવે ભારત ભારતે નક્કી કરવાનું છે કે તે બેલેટ પસંદ કરે છે કે બુલેટ.


  • Follow us on: