- ચીન તરફી ઝુકાવ ધરાવતા મોહમ્મદ મુઈજ્જુ 93 પૈકી 66 સીટ જીત્યા
- ભારત-માલદીવના સંબંધો પર વિપરીત અસર થશે
- હવે મુઈજ્જુ મોટા નિર્ણય લઈ શકશે
ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો છેલ્લા ઘણા સમયથી વણસેલા છે. આ સિવાય ભારત વિરોધી માનસિકતા ધરાવતા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ પહેલા રાષ્ટ્રપતિ અને હવે સંસદીય ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. તેથી હવે માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો વધુ તંગ બને તેવી પૂરી સંભાવના છે. મોહમ્મદ મુઈઝીની પાર્ટી PNCAએ માલદીવમાં જંગી જીત નોંધાવી છે. જ્યારે વિપક્ષ એમડીપી નિરાશ છે. તેથી એમ કહી શકાય કે માલદીવના લોકોએ ભારત વિરોધી મુઇજ્જુને ચૂંટ્યા છે. 93 સીટવાળી માલદીવની સંસદમાં PNCને 66 સીટો મળી છે, જ્યારે મુઈઝીની પાર્ટીને તાજેતરમાં યોજાયેલી મેયરની ચૂંટણીમાં ભારે હારનો સામનો કરવો પડ્યો હતો.
રવિવારે સ્થાનિક સમય અનુસાર સવારે 8 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી મતદાન થયું હતું. કુલ 93 બેઠકો પર મતદાન થયું હતું, જેમાંથી મુઈજ્જુની પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસે 66 બેઠકો જીતી હતી. PNCએ કુલ 90 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)ને 12 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. આવી સ્થિતિમાં પીએનસીએ હવે માલદીવની સંસદ પર કબજો કરી લીધો છે. અપક્ષ ઉમેદવારોએ 8 બેઠકો જીતી છે, બાકીની બેઠકો અન્ય નાના પક્ષોએ કબજે કરી છે.













