માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ચાર દિવસના ભારત પ્રવાસ આવ્યા છે. રવિવારે સાંજે નવી દિલ્હી પહોંચેલા મુઈજ્જુ રાજકીય પ્રવાસે છે. માલદીવના રાષ્ટ્રપતિએ આશ્વાસન આપ્યું છે કે, તેઓનો દેશ કદી પણ એવું કાંઈ નહિ કરે જેનાથી ભારતની સુરક્ષા નબળી પડે. મુઈજ્જુ કે જેની સરકાર માલદીવમાં આર્થિક સંકટનો સામનો કરી રહી છે, ભારતની સાથે પોતાના દેશના સંબંધોને ફરીથી પાટા પર લાવવા ભારતના પ્રવાસે આવ્યા છે. ચીનના સમર્થક મનાતા મુઈજ્જુએ જણાવ્યું હતું કે, ચીનની સાથે દેશના સંબંધોથી ભારતની સુરક્ષાને કયારેય કોઈ ખતરો નહીં થાય.

 

માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુનું મોટું નિવેદન
માલદીવના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, માલદીવ કદી એવું નહીં કરે કે જેનાથી ભારતની સુરક્ષા વધુ નબળી પડે. ભારત-માલદીવ એક કિંમતી ભાગીદાર અને મિત્ર છે, અમારા સંબંધ પરસ્પર સનમાન અને જાહેરહિતો પર બનેલા છે. જ્યારે અમને જુદાજુદા ક્ષેત્રોમાં બીજા દેશાની સાથે પોતાનો સહયોગ વધારીએ છીએ. અમારા કાર્યોથી અમારા ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતાથી સમજૂતિ ન થાય.

   

ઉલ્લેખનીય છે કે, માલદીવ-ભારત સંબંધ ત્યારથી તણાવમાં આવ્યા હતા, જયારે માલદીવે ભારતીય સૈનિકોને માલદીવથી પરત જવા જણાવ્યું હતું. માલદીવના મંત્રીઓએ પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરતા બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ વધી ગયો હતો. 

  

ભારતીય સૈનિકો માટે આ કહ્યું
જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુને ભારતીય સૈનિકો પાછા ખેંચવાના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ સ્થાનિક પ્રાથમિકતાઓને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે "માલદીવ અને ભારત હવે એકબીજાની પ્રાથમિકતાઓ અને ચિંતાઓને વધુ સારી રીતે સમજે છે. માલદીવના લોકોએ મને જે કહ્યું તે મેં કર્યું. તાજેતરના ફેરફારો ઘરેલું પ્રાથમિકતાઓને સંબોધવાના અમારા પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. અગાઉના કરારો અમારી સમીક્ષાનો ઉદ્દેશ્ય છે. ખાતરી કરો કે તેઓ આપણા રાષ્ટ્રીય હિતો સાથે સુસંગત રહે છે અને પ્રાદેશિક સ્થિરતામાં પોઝિટિવ યોગદાન આપે છે."

  • Follow us on: