• પીએમ મોદીએ બે દિવસની UAEની મુલાકાતે 
  • આજે અહલાન મોદી કાર્યક્રમમાં કર્યું સંબોધન
  • આવતીકાલે BAPS મંદિરનું કરશે ઉદ્ઘાટન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાતે છે. ત્યારબાદ, તેઓ કતાર જશે. વડાપ્રધાને મંગળવારે 'અહલાન મોદી' કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં દુબઈમાં એક નવું સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBAC) કાર્યાલય શરૂ કરવામાં આવશે. તેમણે UAEમાં શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

શિક્ષણ ક્ષેત્રે મહત્વની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પીએમ મોદીએ કહ્યું કે UAEની શાળાઓમાં 1.5 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગયા મહિને, અહીં IIT દિલ્હીના અબુ ધાબી કેમ્પસમાં માસ્ટર ડિગ્રી કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં દુબઈમાં નવી CBSE ઑફિસ ખોલવામાં આવશે. આ સંસ્થાઓ અહીંના ભારતીય સમુદાયને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં મદદરૂપ સાબિત થશે.

બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને ગાઢ ભાષાકીય સંબંધોની પ્રશંસા કરી હતી અને ભારત-UAEની સિદ્ધિઓને વિશ્વ માટે ઉદાહરણ તરીકે ગણાવી હતી. ભારત અને UAEની સિદ્ધિઓ વિશ્વ માટે એક મોડેલ તરીકે સેવા આપે છે, એમ વડા પ્રધાને જણાવ્યું હતું. ભારત અને UAEની ભાષાઓ વચ્ચે પણ નિકટતા છે. 2015 માં તેમની પ્રથમ મુલાકાતને યાદ કરતાં, તેમણે વર્ણવ્યું કે કેવી રીતે તેમનું ક્રાઉન પ્રિન્સ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે હવે રાષ્ટ્રપતિ છે.

પીએમ મોદીએ કહ્યું કે, મને સ્પષ્ટપણે યાદ છે કે વડાપ્રધાન પદ સંભાળ્યાના થોડા સમય બાદ 2015માં મારી પ્રથમ UAE મુલાકાત હતી. ત્રણ દાયકામાં ભારતીય વડાપ્રધાન દ્વારા UAEની આ પ્રથમ મુલાકાત હતી. મને યાદ છે કે ક્રાઉન પ્રિન્સનું તેમના પાંચ ભાઈઓ સાથે એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. તે પ્રવાસ દરમિયાન મને એવું લાગ્યું કે જાણે હું મારા પરિવારમાં પાછો આવ્યો છું.


  • Follow us on: