યુક્રેનિયન ડ્રોનને કારણે રિફાઇનરીમાં લાગેલી આગથી દેશની સરકાર પડી ભાંગી છે. અને રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે.
નાના રાજકીય લાભો વધુ મહત્વનાઃ એવિકા સિલિના
નવી સરકાર રચાય અને નવા મંત્રીઓને મંજૂરી ન મળે ત્યાં સુધી વર્તમાન સરકાર કાર્યરત રહેશે. રાષ્ટ્રપતિને સિલિનાનું રાજીનામું મળી ગયું છે. નવી સરકાર બનાવવા અંગે શુક્રવારે રીગા કેસલ ખાતે સંસદીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરાશે. સિલિનાના રાજીનામા સાથે, તેમની સરકાર પડી ભાંગી કારણ કે ગઠબંધનનો ભાગ પ્રોગ્રેસિવ્સ પાર્ટીએ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે. પીએમે નિવેદનમાં કહ્યું કે, રાજકારણમાં જવાબદારી કરતાં નાના રાજકીય લાભો વધુ મહત્વપૂર્ણ બન્યા છે.
પ્રધાનમંત્રીએ રાજીનામું કેમ આપ્યું?
લાતવિયન પ્રધાનમંત્રી એવિકા સિલિનાનું રાજીનામું સંરક્ષણ મુદ્દાઓ પર દેશમાં રાજકીય કટોકટીને કારણે આવ્યું છે. એવિકા સિલિનાએ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા. તાજેતરમાં, જ્યારે યુક્રેન સાથે જોડાયેલા ડ્રોન લાતવિયામાં પ્રવેશ્યા અને એક તેલ રિફાઇનરીમાં ટકરાયા ત્યારે પરિસ્થિતિ બદલાઈ હતી. સંરક્ષણ અંગે પ્રશ્નો ઉભા થયા, અને તેમની સરકારને મોટો આંચકો લાગ્યો જ્યારે ગઠબંધનનો ભાગ પ્રોગ્રેસિવ્સ પાર્ટીએ પોતાનો ટેકો પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો.
લાતવિયન રાજકારણમાં હલચલ કેમ ?
લાતવિયન સંરક્ષણ પ્રધાન એન્ડ્રિસ સ્પુડ્સે તાજેતરમાં રાજીનામું આપ્યું. યુક્રેન સાથે જોડાયેલા ડ્રોન રશિયાથી લાતવિયન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા અને તેલ સંગ્રહ સુવિધા પર હુમલો કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો. વડા પ્રધાન સિલિનાએ જણાવ્યું હતું કે આ ઘટના દર્શાવે છે કે દેશની સંરક્ષણ પ્રણાલી અને રાજકીય નેતૃત્વ સુરક્ષિત આકાશના તેમના વચનને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે સંરક્ષણ પ્રધાને જનતા અને સરકારનો વિશ્વાસ ગુમાવી દીધો છે. સિલિનાએ જણાવ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રની જવાબદારી હવે અનુભવી અને વ્યાવસાયિક વ્યક્તિને સોંપવામાં આવશે.
આ પણ વાંચોઃ આતંકવાદ, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ સહિત વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે બેઠકમાં આ 5 મુદ્દા ઉઠાવ્યા, જાણો શું કહ્યું
