અમેરિકાએ બે દિવસ બાદ ફરી ઈરાન પર હુમલા કર્યા છે.અમેરિકી સૈન્યએ મંગળવારે રાત્રે સિટિક, ખુજસ્તાન, કેમ હોય અને અબ્બાસ બંદર પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા.ઇરાનના જણાવ્યા મુજબ આ હુમલામાં 12 લોકો માર્યા ગયા છે જ્યારે 18 લોકો ઘવાયા છે. ઇરાનનો દાવો છે કે સિરિકમાં એક લગ્ન સમારંભમાં અમેરિકી મિસાઈલ હુમલામાં ચાર વર્ષના બાળક સહિત કુલ પાંચ લોકોના મોત જ્યારે ખુજસ્તાન પ્રાંતમાં થયેલા હુમલામાં 7 લોકોના મોત થયા અને 8 લોકો ઘવાયા છે. બીજી તરફ અમેરિકાનું કહેવું છે કે તેણે માત્ર ઈરાની સૈન્ય ઠેકાણાઓને જ નિશરન બનાવ્યા હતા.
ઈરાન અમેરિકા સામે નવી રણનીતિ અપનાવશે
ઈરાને અમેરિકી હુમલાના જવાબમાં જોર્ડન, કુવૈત, યુએઈ, બહેરીન અને ઈરાનના સ્વાયત્ત ક્ષેત્ર કુર્દિસ્તાનમાં અમેરિકી સેન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યોનો દાવો કર્યો છે.જોર્ડનમાં ઈરાને અમેરિકી સેન્ય ઠેકાણાઓ ઉપર 13 બેલેસ્ટિક મિસાઈલો ઝીંકી હતી.ઈરાને બહેરીનમાં અમેરિકી બેઝ પર પણ ભીષણ ડ્રોન હુમલા કર્યા હતા. અમેરિકાએ અગાઉ 30 ઓગસ્ટે હોર્મઝની ખાડી નજીક આવેલા લારક દ્વીપ પર બે ઈરાની રોકેટ લોન્ચરો પર હવાઈ હુમલા કર્યા હતા.ઈરાની સુરક્ષા પરિષદના સચિવ મોહસીન રેઝાઈએ અમેરિકી હુમલા બાદ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે ઇરાન સૈન્ય કાર્યવાહીની સાથેસાથે કૂટનીતિ અને આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા માટે પણ નવી રણનીતિ અપનાવશે.
