બાંગ્લાદેશના ઢાકા સ્થિત મીરપુરના રૂપનગરમાં એક કાપડ ફેક્ટરી અને કેમિકલ વેરહાઉસમાં લાગેલી ભીષણ આગમાં નવ લોકોનાં મોત થયા છે અને આઠ ઘાયલ થયા છે. કેમિકલ વેરહાઉસમાં બ્લીચિંગ પાઉડર અને હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવા ઝેરી પદાર્થો સંગ્રહાયેલા હતા. અધિકારીઓએ શંકા વ્યક્ત કરી છે કે ઝેરી ગેસના કારણે મૃત્યુ થયા હશે. ફાયર ફાઇટર્સ આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બાંગ્લાદેશમાં કાપડની ફેકટરીમાં લાગી આગ
બાંગ્લાદેશમાં એક ગારમેન્ટ ફેક્ટરી અને કેમિકલ વેરહાઉસમાં લાગેલી ભીષણ આગના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. રાજધાની ઢાકાના મીરપુર વિસ્તારમાં આવેલા રૂપનગરના સિયલબારી ખાતે આવેલી 'સરદાર ગારમેન્ટ્સ ફેક્ટરી' અને તેની બાજુના શાહ આલમ કેમિકલ વેરહાઉસ માં મંગળવારે સવારે લગભગ 11: 40 વાગ્યે આ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા નવ લોકોનાં મોત નીપજ્યા છે અને આઠ અન્ય ઘાયલ થયા હોવાના અહેવાલ છે.













