બાંગ્લાદેશમાં પોલીસે હિન્દુ ગાર્મેન્ટ વર્કર દીપુ ચંદ્ર દાસની હત્યાના કેસમાં વધુ એક શંકાસ્પદની ધરપકડ કરી છે. બાંગ્લાદેશ પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચે જણાવ્યું હતું કે હત્યામાં મુખ્ય વ્યક્તિ મોહમ્મદ યાસીન અરાફાતની ધરપકડ કરવામાં આવી છે. 25 વર્ષીય અરાફાત કાશર વિસ્તારમાં શેખબારી મસ્જિદના ઈમામ હતા. તેઓ મદીના તહફીઝુલ કુરાન મદરેસામાં શિક્ષક તરીકે પણ કામ કરતા હતા.
યાસીન લગભગ 12 દિવસ સુધી છુપાઈ રહ્યો
પોલીસના જણાવ્યા મુજબ યાસીન અરાફતની બુધવારે બપોરે ઢાકાના ડેમરા પોલીસ સ્ટેશન વિસ્તારના સરુલિયા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી. દીપુ ચંદ્ર દાસની હત્યા બાદ યાસીન ભાગી ગયો હતો અને લગભગ 12 દિવસ સુધી છુપાઈ રહ્યો હતો. તેણે વિવિધ મદરેસામાં રહીને પોલીસથી બચવાનો પ્રયાસ કર્યો હતો. હત્યા પછી, તે સરુલિયા વિસ્તારના અનેક મદરેસામાં છુપાયો અને બાદમાં સુફા નામના મદરેસામાં શિક્ષક બન્યો. આ કેસમાં અત્યાર સુધીમાં 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે.













