આ પડકારનો સામનો કરવા માટે, સાઉદી અરેબિયાના માવાનીએ જેદ્દાહ ઇસ્લામિક બંદરથી ભારત અને જીબુતી સુધી નવી શિપિંગ સેવા શરૂ કરી છે.

ભારત અને જીબુતી સાથે જોડાણ

ઈરાન સાથેના તણાવ અને યુએસ નાકાબંધીને કારણે મધ્ય પૂર્વમાં શિપિંગ લાઇન પર ભારે અસર પડી છે. આનાથી યુએઈ અને ઈરાનના દેશો દરિયાઈ પરિવહન માટે નવા માર્ગો શોધવા માટે પ્રેરિત થયા છે. સાઉદી અરેબિયાના પોર્ટ્સ ઓથોરિટીએ જેદ્દાહ ઇસ્લામિક બંદર પર અમીરાત શિપિંગ લાઇન દ્વારા સંચાલિત નવી શિપિંગ સેવા શરૂ કરી છે. આ સેવા દેશના સૌથી મોટા લાલ સમુદ્ર બંદરને ભારત અને જીબુતી સાથે જોડશે. જેનાથી વેપાર જોડાણ અને લોજિસ્ટિક્સ સેવાઓમાં સુધારો કરાશે.

વૈશ્વિક લોજિસ્ટિક્સમાં સાઉદી અરેબિયાની સ્થિતિ સુધારી

આ પગલું વૈશ્વિક લોજિસ્ટિક્સ અને પરિવહન પ્રદર્શન સૂચકાંકોમાં સાઉદી અરેબિયાની સ્થિતિ સુધારવા અને દેશની નિકાસને વેગ આપવા માટે માવાનીની વ્યૂહરચનાનો એક ભાગ છે. આ પહેલ સાઉદી અરેબિયાની રાષ્ટ્રીય પરિવહન અને લોજિસ્ટિક્સ વ્યૂહરચનાના લક્ષ્યો સાથે પણ સુસંગત છે. જેનો ઉદ્દેશ્ય દેશને એશિયા, આફ્રિકા અને યુરોપને જોડતા વૈશ્વિક લોજિસ્ટિક્સ હબ તરીકે સ્થાપિત કરવાનો છે.

ભારતને કેટલો થશે ફાયદો ?

આ નવી શિપિંગ સેવા ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ઈરાન દ્વારા તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ભારતીય આયાત અને નિકાસ બંને પર અસર પડી છે. માવાનીએ જણાવ્યું હતું કે, નવી સેવા જેદ્દાહ ઇસ્લામિક બંદરને ભારતના મુન્દ્રા બંદર અને જીબુતી બંદર સાથે જોડશે. જે તણાવને કારણે થતા વિક્ષેપોને ઘટાડશે.

આ પણ વાંચોઃ  કૂટનીતિનું નવું હબ બન્યું Kyrgyzstan, બિશ્કેકમાં ઈરાન અને પાકિસ્તાન વચ્ચે બેઠક

  • Follow us on: