પાકિસ્તાન અને અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં છે. તો આ તરફ, અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ વાતચીતમાં ગુંચવાઇ છે. પાકિસ્તાનના નાણાંમંત્રી મોહમ્મદ ઐરંગઝેબ બીજીવાર અમેરિકા પહોંચ્યા છે. પાકિસ્તાનની ઇચ્છા છે કે અમેરિકા 29% આયાત શુલ્ક હટાવીને ઝીરો ટેરિફ લગાવે. પાકિસ્તાનની આ વાત કૂટનીતિના માધ્યમ માટે ચિંતાનો વિષય છે.

અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ટ્રેડ ડીલ

ભારત પહેલા અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ટ્રેડ ડીલ ફાઇનલ થવાના સંકેત આપી રહી છે. આ વાતચીતને અંતિમ તબક્કો આપવા માટે પાકિસ્તાનના નાણાંમંત્રી મોહમ્મદ ઐરંગઝેબ અમેરિકા પહોંચ્યા છે. મહત્ત્વની વાત એ છે કે પાંચ અઠવાડિયામાં પાકિસ્તાનના નાણાંમંત્રી મોહમ્મદ ઐરંગઝેબનો અમેરિકા માટે આ બીજો પ્રવાસ છે. આ બેઠક, પ્રવાસ, મુલાકાત ટ્રેડ ડીલ ફાઇનલ થવાના સંકેત આપી રહી છે. આ મુલાકાત દરમિયાન વોશિંગ્ટન અને ઇસ્લામાબાદ વચ્ચે વેપારી સોદા મુદ્દે મોહર લગાવના પણ પ્રયાસ હાથ ધરાયા છે.

કૂટનીતિના માપદંડ સતત બદલાયા

અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ટ્રેડ ડીલનો ભારત પર કોઇ અસર થશે નહી. કારણ કે, ભારતનો અમેરિકા સાથે વેપારનો વ્યાપ ઘણો મોટો છે. પરંતુ અહીં વાત વેપારની નહી રણનીતિની પણ છે. મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ જોવા મળ્યો હતો. આ સમયે ડૉનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ મામલે મધ્યસ્થા કરવાનું કહેતા ભારતે આ વાતને નકારી હતી. અને હવે આ વાતને ધ્યાનમાં રાખીને અમેરિકા પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલ કરવા માંગે છે. જે ભારત માટે કૂટનીતિના સંકેત છે. ભારતે સમજવુ પડશે કે વૈશ્વિક સ્તર પર કૂટનીતિના માપદંડ સતત બદલાયા કરે છે. જેમાં પ્રાથમિકતા પણ પોતાનું સ્થાન બદલતી રહે છે. 
  • Follow us on: