આ સપ્લાયથી ઘરેલુ ગેસની ઉપલબ્ધતા સુધરશે અને સામાન્ય લોકોને રાહત મળવાની આશા છે. ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોના કહેવા મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલ અને ગેસના ભાવમાં થતા ઉતાર-ચઢાવને કારણે સપ્લાય ચેન પર અસર પડે છે. આવી સ્થિતિમાં સમયસર એટલી મોટી માત્રામાં એલપિજિ પહોંચવું સરકાર અને તેલ કંપનીઓ માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. ખાસ કરીને તહેવારો અને ઉનાળાના સમયમાં ગેસનો વપરાશ વધે છે, તેથી આ જથ્થો ખૂબ જ મહત્વનો છે.
‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યા બાદ હવે આ ગેસને વિવિધ બોટલિંગ પ્લાન્ટ્સ સુધી પહોંચાડવામાં આવશે
‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યા બાદ હવે આ ગેસને વિવિધ બોટલિંગ પ્લાન્ટ્સ સુધી પહોંચાડવામાં આવશે, જ્યાંથી તેને સિલિન્ડરમાં ભરીને દેશના અલગ-અલગ વિસ્તારોમાં મોકલવામાં આવશે. આથી શહેરો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગેસની સપ્લાય વધુ મજબૂત બનશે.
