આ સપ્લાયથી ઘરેલુ ગેસની ઉપલબ્ધતા સુધરશે અને સામાન્ય લોકોને રાહત મળવાની આશા છે. ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોના કહેવા મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલ અને ગેસના ભાવમાં થતા ઉતાર-ચઢાવને કારણે સપ્લાય ચેન પર અસર પડે છે. આવી સ્થિતિમાં સમયસર એટલી મોટી માત્રામાં એલપિજિ પહોંચવું સરકાર અને તેલ કંપનીઓ માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. ખાસ કરીને તહેવારો અને ઉનાળાના સમયમાં ગેસનો વપરાશ વધે છે, તેથી આ જથ્થો ખૂબ જ મહત્વનો છે.

‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યા બાદ હવે આ ગેસને વિવિધ બોટલિંગ પ્લાન્ટ્સ સુધી પહોંચાડવામાં આવશે

‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યા બાદ હવે આ ગેસને વિવિધ બોટલિંગ પ્લાન્ટ્સ સુધી પહોંચાડવામાં આવશે, જ્યાંથી તેને સિલિન્ડરમાં ભરીને દેશના અલગ-અલગ વિસ્તારોમાં મોકલવામાં આવશે. આથી શહેરો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગેસની સપ્લાય વધુ મજબૂત બનશે.

સરકારનો હેતુ છે કે દરેક ઘરમાં સ્વચ્છ ઇંધણ પહોંચે

સરકારનો હેતુ છે કે દરેક ઘરમાં સ્વચ્છ ઇંધણ પહોંચે અને લોકોને લાકડું અથવા કોલસા જેવા પરંપરાગત ઇંધણ પર આધાર રાખવો ન પડે. ઉજ્જવલા યોજના જેવી પહેલોને કારણે LPGની માગ સતત વધી રહી છે, તેથી આવી મોટી સપ્લાય ખૂબ જ જરૂરી બની છે.

કુલ મળીને ‘જગ વસંત’ વહાણ દ્વારા આવેલ 42 હજાર ટન એલપિજિનો જથ્થો દેશના ઊર્જા ક્ષેત્ર માટે રાહતભર્યો સમાચાર છે, જે સપ્લાય મજબૂત બનાવશે અને ગ્રાહકોને પણ લાભ આપશે.

આ પણ વાંચો: Iran Israel War : ઇરાનના મિસાઇલ હુમલાઓથી ઇઝરાયેલનું ‘લિટલ ઇન્ડિયા’ ફફડી ઉઠ્યું