ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત થયા. ત્રણ સ્પેસ મિશનમાં 608 દિવસ અવકાશમાં પસાર કરી સુનિતા વિલિયમ્સે ઇતિહાર રચ્યો છે. સુનિતા વિલિયમ્સ ફક્ત યુવાનો જ નહીં મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત છે. 27 વર્ષની શાનદાર કારકિર્દી બાદ સુનિતા વિલિયમ્સે હાલમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિશ્વપ્રખ્યાત આ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને નાસા તરફથી પેન્શન મળશે. જાણો સુનિતા વિલિયમ્સને કેટલી સુવિધા અને કેટલું પેન્શન મળશે.
અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સે લીધી નિવૃત્તિ
સુનિતા વિલિયમ્સને નાસાના સૌથી અનુભવી અને વિશ્વસનીય અવકાશયાત્રીઓમાંના એક ગણવામાં આવે છે. તેમની લાંબી કારકિર્દી દરમિયાન, તેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ત્રણ મહત્વપૂર્ણ મિશન પૂર્ણ કર્યા. ભારતીય મૂળની આ અવકાશયાત્રીએ સંશોધન માટે અવકાશમાં બહુ મહિના કરતા પણ વધુ સમય પસાર કર્યો છે. કયારેક મિશન મુશ્કેલીમાં પણ મૂકાયું ત્યારે પોતાની સમજથી પરિસ્થિતિ પર નિયંત્રણ કરી મિશનનું સંચાલન કર્યું છે. હાલમાં જ એક મિશનમાં ટેકનિકલ સમસ્યાઓ સર્જાવાના કારણે નિર્ધારિત સમય કરતાં વધુ વિલંબ થયો હતો. જેના કારણે તેમનું મિશન લંબાયું અને લગભગ નવ મહિના સુધી ISS પર રહ્યા હતા. આ જ કારણ છે કે નાસા પણ સૌથી વિશ્વસનીય અને અનુભવી અવકાશયાત્રી તરીકે સુનિતા વિલિયમ્સને પસંદ કરે છે.












