ઇન્ડોનેશિયામાં એક વૃદ્ધાશ્રમમાં લાગેલી આગને કારણે 16 વૃદ્ધોના મોત નીપજ્યા હતા. આ ઘટના રવિવારની સાંજે બનવા પામી હતી.ઇન્ડોનેશિયાના ઉત્તરી સુલાવાસી પ્રાંતમાં મનાડો વિસ્તારમાં એક વૃદ્ધાશ્રમ આવેલું છે જેમાં લોકો સૂઇ રહ્યા હતા તે સમયે ત્યાં આગ લાગી, જેની ઝપેટમાં આવીને 16 લોકોના મોત નીપજ્યા હતા. 


ઘટનામાં 16 વૃદ્ધોના મોત

પોલીસે સોમવારે જણાવ્યુ કે આ ઘટનામાં મૃતકોની સંખ્યા 16 થઇ છે. જેમાં 15 લોકોના મોત સળગી જવાને કારણે થયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયો છે. આ ઘટનામાં 15 લોકોને બચાવવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ માટે તેમના પરિવારજનોને હોસ્પિટલ બોલાવવામાં આવ્યા છે.

આગ લાગવાનું સાચું કારણ સામે નથી આવ્યુ 

અગ્નિશમન દળના કર્મચારીઓએ જણાવ્યું કે આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ બે કલાકની ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આસપાસ રહેતા લોકોએ પણ આગ બુઝાવામાં મદદ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ વીજળીની ફિટિંગમાં ખામી હોવાના કારણે આગ લાગી હતી. જોકે, વિગતવાર તપાસ બાદ જ આગ લાગવાનું સાચું કારણ જાણવા મળશે.

આ પણ વાંચોઃ US: અમેરિકામાં બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, એક પાયલટનું મોત


  • Follow us on: