ઈરાને શનિવારે જર્મની, ફ્રાન્સ અને બ્રિટેનમાંથી પોતાના રાજદૂતને ચર્ચા કરવા માટે પરત બોલાવી લીધા છે. વિદેશ મંત્રાલયે આ ત્રણ યુરોપિયન દેશની અત્યંત બેજવાબદાર કાર્યવાહીનો જવાબ ગણાવ્યો છે. જેમને 2015ના ન્યૂક્લિયર કરાર સાથે જોડાયેલા વિવાદના નિરાકરણ પદ્ધતિનો ઉપયોગ કરીને યુએન સુરક્ષા પરિષદના જૂના પ્રતિબંધોને ફરીથી લાગુ કરવાનો પ્રયાસ કર્યો.
2015ના JCPOA કરાર પર ઈ-3એ કર્યા હતા હસ્તાક્ષર
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ શુક્રવારે પશ્ચિમી દેશોના આ પ્રયત્નોની નિંદા કરી અને ચેતવણી આપી કે તેનાથી ખતરનાક ઉદાહરણ ઉભું થશે અને વૈશ્વિક વ્યવસ્થામાં વિશ્વાસ ઓછો થશે. રશિયા અને ચીને યૂએન સુરક્ષા પરિષદમાં ઈરાન પર પ્રતિબંધોને સ્થગિત કરવાના તેમના મુસદ્દા પ્રસ્તાવને અસ્વીકૃત થવા પર દુઃખ વ્યક્ત કર્યું, જ્યારે અમેરિકા અને યૂકેએ તેને જરૂરી પગલું ગણાવ્યું. ઈ-3 દેશ (જર્મની, ફ્રાન્સ અને યૂકે)એ 2015ના JCPOA કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ પર મર્યાદા લગાવી અને તે સુનિશ્ચિત કર્યું કે તેનો કાર્યક્રમ માત્ર શાંતિપૂર્ણ ઉદ્દેશ્ય માટે થાય. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા મંજૂર આ કરાર હેઠળ ઈરાને પોતાના યૂરેનિયમ સંવર્ધનને સીમિત કરવા અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોને તે ચકાસવાની પરવાનગી આપવા પર સહમતિ વ્યક્ત કરી છે. તેમનો પરમાણુ કાર્યક્રમ માત્ર શાંતિપૂર્ણ ઉદ્દેશ્યો માટે કામ કરે છે.













