રાજદ્વારી પ્રયાસોને મંજૂરી, યુએસ મિસાઇલ સંરક્ષણ ભંડારમાં ઘટાડો અને સંઘર્ષ વધુ વધવાનું જોખમ આ ત્રણ કારણ સામેલ છે.
વ્હાઇટ હાઉસે શુ કહ્યુ ?
શુક્રવારનો નિર્ણય લગભગ બે અઠવાડિયાના દૈનિક યુએસ હુમલાઓમાં પ્રથમ વખત રોકાયો હતો. ટ્રમ્પે નવા હુમલાની યોજના મળ્યા છતાં, હાલ માટે સૈન્યને કોઈપણ નવા હુમલા શરૂ કરવાનું ટાળવાનો આદેશ આપ્યો હતો. આને વાટાઘાટો અને રાજદ્વારી ઉકેલ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. અમેરિકાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો જરૂરી હોય તો લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરી શકાય છે. વ્હાઇટ હાઉસે આ નિર્ણય પર સત્તાવાર રીતે ટિપ્પણી કરી નથી.
મોટું યુદ્ધ ફાટી શકેઃ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ માનતા હતા કે, લશ્કરી કાર્યવાહીનું વર્તમાન સ્તર તેની અસરકારક મર્યાદા સુધી પહોંચી ગયું છે અને વધુ ઉગ્રતા મોટા યુદ્ધ તરફ દોરી શકે છે. રાષ્ટ્રપતિ વાટાઘાટો માટે વધુ તકો પૂરી પાડવા માંગતા હતા. પરંતુ જો વાટાઘાટો નિષ્ફળ જાય તો ટૂંકા ગાળામાં લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવાનો વિકલ્પ પણ જાળવી રાખ્યો હતો. શુક્રવારે પત્રકારો સાથે વાત કરતા, ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા સંપૂર્ણપણે તૈયાર છે. પરંતુ માને છે કે ઈરાન સાથે સમાધાન સુધી પહોંચવું એ વધુ સમજદારીભર્યો માર્ગ હશે.
યુએસ ડિફેન્સ સિસ્ટમ ચિંતાનું કારણ
આ નિર્ણય પાછળનું એક મુખ્ય કારણ યુએસ ડિફેન્સ સિસ્ટમમાં વધતી ચિંતા હોવાનું કહેવાય છે. વરિષ્ઠ લશ્કરી અધિકારીઓએ ચેતવણી આપી હતી કે, ઓપરેશનમાં વધુ વધારો યુએસ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પર ગંભીર અસર કરી શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર મિસાઇલો અને અન્ય ડિફેન્સ સિસ્ટમનો વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે. જો સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો મધ્ય પૂર્વમાં તૈનાત યુએસ સૈનિકો, લશ્કરી થાણાઓ અને સાથી દેશોની સુરક્ષા જોખમાઈ શકે છે.
આ પણ વાંચોઃ અમેરિકાએ મિસાઈથી પોતાના જ બે યુદ્ધપોત સમુદ્રમાં ડૂબાડ્યા, જાણો શું છે મામલો?
