વાહનો ઇવન-ઓડ યોજના હેઠળ રોટેશનલ ધોરણે ચાલશે. 

વૈશ્વિક ઉર્જા પુરવઠા શૃંખલા

મ્યાનમારની જુન્ટા લશ્કરી સરકારે ખાનગી વાહનો માટે ઇધણ રેશનિંગ સિસ્ટમ રજૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે મધ્ય પૂર્વમાં વધતી દુશ્મનાવટને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠા શૃંખલામાં વિક્ષેપોને જવાબદાર ઠેરવ્યા છે. દેશની રાષ્ટ્રીય સંરક્ષણ અને સુરક્ષા પરિષદે જણાવ્યું હતું કે, 7 માર્ચ, 2026થી અમલમાં આવનારા નવા નિયમો વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને મધ્ય પૂર્વમાં સશસ્ત્ર સંઘર્ષોને કારણે છે. જેના કારણે તેલના શિપમેન્ટમાં વિક્ષેપ પડ્યો છે.

નવી ઓડ-ઇવન લાઇસન્સિંગ યોજના

જાહેરાતમાં જણાવાયું હતું કે નવી ઓડ-ઇવન લાઇસન્સિંગ યોજના હેઠળ, ઓડ નંબરની કાર ધરાવતા વાહનોને ફક્ત ઓડ તારીખે જ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે અને ઇવન નંબરની કાર ધરાવતા વાહનોને ઇવન તારીખે જ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. ઇલેક્ટ્રિક વાહનો અને ઇલેક્ટ્રિક મોટરસાઇકલને મુક્તિ આપવામાં આવી છે. NDSCએ વ્યવસાયો અને વ્યક્તિઓને ચેતવણી આપી હતી કે, તેઓ ઊંચા ભાવે ફરીથી વેચવા માટે બળતણનો સંગ્રહ ન કરે, અને ઉલ્લંઘન કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

ઇંધણનો પુરવઠો ખતમ

સ્થાનિકના કહેવા મુજબ, 3 માર્ચની સાંજે સરહદી શહેર માયાવાડીમાં ઇંધણનો પુરવઠો ખતમ થઈ ગયો છે. જેના કારણે સ્થાનિક સ્ટેશનો અસ્થાયી રૂપે બંધ થઈ ગયા અને લોકોને થાઈલેન્ડના માએ સોટમાં ગેસ સ્ટેશનો પર કતારમાં રહેવાની ફરજ પડી. તેમણે કહ્યું હતુ કે, ગઈકાલથી, ઘણા લોકો તેમની ટાંકી ભરવા માટે માએ સોટ તરફ જઈ રહ્યા છે. હું પોતે લાઇનમાં ઊભો રહ્યો અને થાઈ ગેસ સ્ટેશનો પર ઘણી બધી કાર લાઇનમાં જોઈ. 2021થી મ્યાનમાર અશાંતિમાં છે. હવે દેશભરમાં ગૃહયુદ્ધ ફેલાયુ છે.

આ પણ વાંચોઃ Nishant Kumar પાંચ માર્ચના રોજ JDUમાં જોડાશે, Nitish Kumarના મંત્રીએ કર્યો દાવો