આ કાર્યવાહી વડા પ્રધાન અલી અલ-ઝૈદીના સીધા આદેશ પર શરૂ કરવામાં આવી હતી.
ભ્રષ્ટાચાર નેટવર્ક પર કાર્યવાહી
ઈરાકે ભ્રષ્ટાચાર સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી જોઇ છે.. વડા પ્રધાન અલી અલ-ઝૈદીના આદેશ પર, સુરક્ષા દળોએ રાજધાની બગદાદમાં મોડી રાત્રે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. કાયદા ઘડનારાઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સહિત 47 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે, ભ્રષ્ટાચાર નેટવર્ક પર કાર્યવાહી કરવા માટે આ એકશન લેવામાં આવી રહ્યુ છે.
ગ્રીન ઝોનમાં મોડી રાત્રે દરોડા
ઇરાકી સુરક્ષા દળોએ રાજધાની બગદાદના ઉચ્ચ સુરક્ષાવાળા ગ્રીન ઝોનમાં અનેક ઘરો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દેશની ચુનંદા આતંકવાદ વિરોધી સેવા દ્વારા હાથ ધરવામાં આવી હતી. વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં કાયદા ઘડનારાઓ અને સરકારી અધિકારીઓ સહિત 47 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી. કાનૂની અને સુરક્ષા સૂત્રો અનુસાર, આ કાર્યવાહી કોર્ટ દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટના આધારે કરવામાં આવી હતી.
વડાપ્રધાનના આદેશ પર કડક કાર્યવાહી
વડાપ્રધાન અલી અલ-ઝૈદી, જેમણે મે મહિનામાં પદ સંભાળ્યું હતું, તેમણે સરકારી પદ સંભાળ્યા પછી ભ્રષ્ટાચાર પર કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું. સરકારના પ્રવક્તા હૈદર અલ-અબૌદીએ જણાવ્યું હતું કે આ ઝુંબેશ સીધા વડા પ્રધાનના આદેશ પર શરૂ કરવામાં આવી હતી અને તેનો હેતુ સરકારી સંસ્થાઓને મજબૂત બનાવવા અને જાહેર ભંડોળનું રક્ષણ કરવાનો હતો. રિફાઇનિંગના નાયબ તેલ પ્રધાન અદનાન અલ-જુમૈલીની ધરપકડ બાદ, તેમના નિવેદનોના આધારે અન્ય ઘણા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
નાયબ તેલ પ્રધાનની પણ અટકાયત
વિતરણના નાયબ તેલ પ્રધાન અલી મારીઝ અટકાયતમાં લેવાયેલા લોકોમાં સામેલ છે. અમેરિકાએ મે મહિનામાં તેમના પર પ્રતિબંધો લાદ્યા હતા, જેમાં તેમના પર ઈરાન અને ઈરાન સમર્થિત જૂથોને લાભ પહોંચાડવા અને બનાવટી દસ્તાવેજો દ્વારા ઈરાની તેલમાં મિશ્રિત ઈરાની ક્રૂડ નિકાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, તે સમયે ઇરાકી તેલ મંત્રાલયે આ આરોપોને નકારી કાઢ્યા હતા.
આ પણ વાંચોઃ આયાતુલ્લા અલી ખામેનીના અંતિમયાત્રામાં મહેબૂબા મુફ્તી થયા ભાવુક, જુઓ Video
