સોમવારે ઇઝરાયલી સેનાએ ગાઝા શહેરને કબજે કરવા માટે જમીન પર હુમલો કર્યો હોવાના અહેવાલ છે.નેતન્યાહૂ સરકાર પ્રમાણે, તેનો ઉદ્દેશ્ય હમાસને જડમૂળથી ઉખેડી નાખવાનો છે. એક્સિઓસના મતે, કલાકોના ભારે હવાઈ હુમલા પછી, ટેન્કો ગાઝા શહેરમાં પ્રવેશ્યા અને રહેણાંક ઇમારતો તોડી પાડવામાં આવી અને નાગરિક આશ્રયસ્થાનોને નુકસાન થયું.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ દ્વારા વારંવાર ગાઝાના નાગરિકોને દક્ષિણ તરફ "માનવીય વિસ્તાર"માં જવા માટે સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાંક અઠવાડિયાઓમાં આશરે 3 લાખ ફિલિસ્તીનીઓ ગાઝા શહેરમાંથી ભાગી ગયા છે, પરંતુ હજુ પણ લાખો લોકો યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયા છે. ઇઝરાયલના વડાપ્રધાન બેનજામિન નેતન્યાહૂએ કતારમાં ગયા અઠવાડિયે થયેલા હુમલા પછી હમાસના નેતાઓ પર આગળ વધુ હુમલાની શક્યતા નકારી નથી. તેમણે કહ્યું કે જ્યાં પણ હશે, તેમને છોડવામાં નહીં આવે.
હમાસ બંદીઓને મુક્ત કરીને...
જોકે, ઇઝરાયલના ટોચના સુરક્ષા વડાઓએ નેતન્યાહૂને ગાઝા શહેરમાં પ્રવેશ ન કરવાના સૂચન આપી હતી અને ચેતવણી આપી હતી કે એ પગલાથી બંદીઓને ખતરો થઈ શકે છે, મોટી સંખ્યામાં ઇઝરાયલી લશ્કર ઘાયલ થઈ શકે છે અને ત્યાં સેના દ્વારા શાસન થવાની સ્થિતિ ઉભી થઈ શકે છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું કે હમાસ બંદીઓને મુક્ત કરીને અને આત્મસમર્પણ કરીને યુદ્ધ ખતમ કરી શકે છે. તેમનું કહેવું છે કે એ શક્યતા માટે પણ તૈયાર રહેવું પડશે કે એવું કંઈ થવાનું નથી.
હમાસને ટ્રમ્પની ચેતવણી...
ઓવલ ઑફિસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ રિપોર્ટ્સને પ્રતિસાદ આપ્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હમાસે ઇઝરાયલના જમીન પરથી થયેલા હુમલાની સામે માનવ ઢાલ તરીકે વાપરવા માટે 20 બંદીઓને જમીનથી ઉપર લઈ ગયા છે. ટ્રમ્પે કહ્યું, "મારે આશા છે કે હમાસના નેતાઓ જાણે છે કે જો તેઓ કંઈક એવું કરે છે તો તેમને શું કરવું પડશે. આ એક માનવીય અત્યાચાર છે, જે પહેલાં બહુ ઓછાં લોકોએ જોયો હશે. એવું ન થવા દો, નહિંતર બધું વ્યર્થ થઈ જશે. બધા બંદીઓને તરત મુક્ત કરો."