કુવૈત ફૂડ ગ્રુપ કંપની અલ થીકા પર ઈરાની હુમલામાં માર્યા ગયેલા ભારતીય ઇલેક્ટ્રિશિયનના પરિવારને એક વર્ષનો પગાર ચૂકવશે.
સંથાનસેલ્વમ કૃષ્ણન 10 વર્ષથી કુવૈતમાં રહેતા હતા
કુવૈતમાં ઈરાની હુમલામાં જીવ ગુમાવનારા ભારતીય ઇલેક્ટ્રિશિયન સંથાનસેલ્વમ કૃષ્ણનના પરિવારને અલ થીકા એક વર્ષનો પગાર ચૂકવશે. આ નિર્ણય કંપનીની માનવતાવાદી જવાબદારી અને તેના કર્મચારીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. કંપનીએ જણાવ્યું હતું કે, તેણે આ પહેલને અમલમાં મૂકવા માટે સંબંધિત અધિકારીઓ પાસેથી તમામ જરૂરી મંજૂરીઓ મેળવી લીધી છે.
કુવૈતમાં ઈરાની હુમલાઓથી નુકસાન
કુવૈતમાં ઈરાની હુમલાઓમાં ઓછામાં ઓછા ત્રણ નાગરિકો સહિત 13-14 લોકોના મોત થયા છે. પાવર અને ડિસેલિનેશન પ્લાન્ટ પર થયેલા હુમલામાં એક ભારતીય કર્મચારીનું મોત થયું છે. પોર્ટ શુઆઈબામાં કમાન્ડ સેન્ટર પર ઈરાની ડ્રોન હુમલામાં છ યુએસ સૈનિકો માર્યા ગયા છે. વધુમાં, બે થી ચાર કુવૈતી સૈન્ય અધિકારીઓ સીમા રક્ષકો માર્યા ગયા છે.
પરિવારમાં શોકનો માહોલ
સંથાનસેલ્વમ કૃષ્ણન તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના મુથુકુલાથુર 37 વર્ષીય ભારતીય નાગરિક હતા. તેઓ કુવૈતમાં ખાનગી કંપનીમાં કરાર પર ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતા. તેઓ એક દાયકાથી વધુ સમયથી ત્યાં નોકરી કરતા હતા. માર્ચના અંતમાં ઈરાની ડ્રોન હુમલામાં તેમના મૃત્યુથી તેમના પરિવાર અને સમગ્ર ભારતીય સમુદાય શોકમાં ડૂબી ગયો છે.
આ પણ વાંચોઃ બે મહિલા નેતાઓ United Nationના આગામી મહાસચિવ બનવાની દોડમાં
