નેપાળમાં આવેલા વિનાશક રાસુવા-ભોતેકોશી પૂર અને ભૂસ્ખલનની તબાહી વચ્ચે એક અત્યંત રાહત અને ચમત્કારિક સમાચાર સામે આવ્યા છે. ભીષણ પૂરના કારણે ચારેય તરફ અંધાધૂંધી અને વિનાશનો માહોલ છે, ત્યારે આ આપત્તિની વચ્ચે એક અદ્ભુત જીવન રક્ષણની ઘટના ઘટી છે. પૂરના પ્રકોપમાં એક કેર હોમના કાટમાળ નીચે દટાઈ ગયેલી 97 વર્ષીય ગુણા માયા બોહરા નામના વૃદ્ધાને ચાર કલાકની ભારે જહેમત બાદ હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. કાદવમાં સંપૂર્ણપણે લપાયેલી આ વૃદ્ધ મહિલાને જ્યારે જેસીબી (JCB) ના સ્કૂપમાં બેસાડીને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમની એ તસવીરો આખી દુનિયા માટે આશાનું પ્રતીક બની ગઈ છે.
https://twitter.com/thewakeninq/status/2093240542855299541

97 વર્ષની વૃદ્ધાએ જીતી જંગની સફર

તેમના પ્રપૌત્ર દીપકે જણાવ્યું હતું કે બચાવ્યા બાદ તેઓ કોઈ યુદ્ધ જીતીને પરત ફરતા યોદ્ધા જેવા લાગતા હતા. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે અને તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. પૂરનું પાણી અચાનક ફરી વળતા જ્યારે વસાહતો અને ઘરો તૂટી પડવા લાગ્યા, ત્યારે લોકો પોતાના પ્રાણ બચાવવા માટે અહીંતહીં પહાડો અને જંગલો તરફ ભાગ્યા હતા. અનેક લોકોએ ફસાયેલી રાત ભયના સાયા હેઠળ વિતાવી હતી, પરંતુ આવા મુશ્કેલ સંજોગોમાં પણ અસંખ્ય ચમત્કારિક બચાવની વાર્તાઓ સામે આવી રહી છે.
https://twitter.com/PTI_News/status/2093729822161948754

682 લોકોના મોત

બીજી તરફ, નેપાળના રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્યવસ્થાપન સત્તામંડળ (NDRRMA) દ્વારા જારી કરાયેલા તાજેતરના આંકડા મુજબ આ ભયાનક પૂરને કારણે મૃત્યુઆંક વધીને 682 પર પહોંચી ગયો છે. રાહત અને બચાવ ટીમો દ્વારા વિવિધ નીચાણવાળા વિસ્તારોમાંથી સતત મૃતદેહો અને માનવ અવશેષો બહાર કાઢવામાં આવી રહ્યા છે. સાંજ સુધીના અહેવાલો મુજબ હજુ પણ 2418 લોકો લાપતા અથવા ગુમ છે, જ્યારે 219 ઘાયલોને સારવાર આપવામાં આવી છે.

નેપાળ પૂરમાં ભારતે મોકલી સહાય

પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચિતવાન જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ ૨૪૬ મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત નવલપરાસી પૂર્વમાંથી ૧૬૫, નવલપરાસી પશ્ચિમમાંથી 63, ગોરખામાંથી 57, નુવાકોટમાંથી 51 અને ધાડિંગમાંથી 45 મૃતદેહો મળી આવ્યા છે. તંત્ર દ્વારા મૃતદેહોની ઓળખ કરી તેમના પરિવારજનો સુધી પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ કપરા સમયમાં નેપાળ સરકારે ભારત દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રી અને બચાવ સહાયની મુક્તકંઠે પ્રશંસા કરી છે.

આ પણ વાંચોઃ તાશ્કંદમાં PM મોદી,યોગ કાર્યક્રમમાં થયા સામેલ