નેપાળમાં ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શન વચ્ચે પીએમ કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધુ. હિંસક વિરોધ પ્રદર્શનમાં 19 લોકોના મોત નિપજ્યા છે અને સરકારી મિલકતોને આગ લગાવી દીધી. પરિસ્થિતિ સંભાળવા માટે નેપાળ આર્મી તૈનાત કરવામાં આવી છે. ભારત-નેપાળ સીમ પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે જેથી ઉપદ્રવી તત્વ ભારતમાં હિંસા ન ફેલાવી શકે.


બાંકે જેલ અને સુધાર ગૃહમાં સુરક્ષા બળોનું ફાયરિંગ

નેપાળની બાંકે જિલ્લાની નૌબસ્તા સ્થિત જેલમાં અને કિશોર સુધાર ગૃહમાં થયેલી અથડામણમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. અથડામણ દરમિયાન 585 કેદીઓમાંથી 149 કેદીઓ અને અટકાયતમાં રાખેલા 176 કેદીઓમાંથી 76 કેદીઓ ભાગી ગયા.પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સશસ્ત્ર પોલીસે ગોળીબાર કર્યો.આ દરમિયાન 7 લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યુ છે. પરિસ્થિતિ બગડવા પર નેપાળ સેનાને હાલ દરેક જગ્યા પર તૈનાત કરવામાં આવ્યા છે.

નેપાળમાં યુવાનોનુ વિરોધ પ્રદર્શન

બીજી બાજુ, નેપાળમાં હિંસા ભારત પર પણ અસર કરી શકે છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે ઉપદ્રવી તત્વ ભારત-નેપાળ સીમા સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશ અને બિહાર જિલ્લામાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી શકે છે. આને ધ્યાનમાં રાખીને, સરહદ સુરક્ષા દળ, યુપી પોલીસ અને બિહાર પોલીસને સતર્ક રાખવામાં આવ્યા છે જેથી સરહદ પારની હિંસાની અસર ભારતમાં ન ફેલાય.

વિરોધ પ્રદર્શનમાં 19થી વધુના મોત

નેપાલમાં આ સમયે ઉંડા રાજનીતિક અને સામાજીક સંકટ સાથે કટોકટીનો સામનો કરી રહ્યું છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શનો અને સોશિયલ મીડિયા બેન પર થયેલા જનવિરોધી આંદોલન બાદ રાજીનામું આપી દીધુ છે. આ પ્રદર્શનમાં પોલીસ કાર્યવાહી દરમિયાન ઓછામાં ઓછા 19 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા.


  • Follow us on: