નેપાળમાં 8 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની અને સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવાની માંગ સાથે Gen-Z વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું. ત્યારબાદ આ વિરોધ હિંસક બન્યો. વિરોધ પ્રદર્શન દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 50 લોકોનાં મોત થયા છે. ત્યારબાદ શનિવારે નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આખો દેશ સળગી ઉઠ્યો હતો
ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની અને સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવાની માંગ સાથે Gen-Z વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું અને તે પ્રદર્શન એટલું બધુ હિંસક બન્યું હતું કે આખો દેશ સળગી ઉઠ્યો હતો. નેપાળના વડાપ્રધાન કોલી સહિત તમામ મંત્રીઓને રાજીનામા આપવા પડ્યા હતા અને રાતોરાત દેશ છોડીને ભાગવું પડ્યું હતું.













