પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં રવિવારે એક શાંતિ રેલી દરમિયાન શક્તિશાળી વિસ્ફોટની ઘટના બનવા પામી હતી. માહિતી પ્રમાણે આ એક આત્મઘાતી હુમલો માનવામાં આવે છે.જોકે તંત્ર દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ચારેય તરફ સુરક્ષા દળોએ ઘેરાબંધી કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ મળતી માહિતી પ્રમાણે આ શાંતિ રેલીનું આયોજન સ્થાનિક આદિવાસી પરિષદ સ્વાત અમજ જર્ગા દ્વારા કરવામાં આવ્યું હતું.તાજેતરના મહિનાઓમાં આ વિસ્તારમાં બગડતી સુરક્ષા સ્થિતિ સામે અવાજ ઉઠાવવા અને શાંતિની માંગ કરવા માટે સેંકડો લોકો પ્લેકાર્ડ સાથે આ રેલીમાં જોડાયા હતા.
શંકાસ્પદ વ્યક્તિને રોકવાનો પ્રયાસ કરતા જ પોતાને ઉડાવ્યો
કાબલ ચોક પાસે ચાલી રહેલા આ પ્રદર્શન દરમિયાન, જ્યારે કાબલ પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર પર પોલીસ અધિકારીઓએ એક શંકાસ્પદ વ્યક્તિને રોકીને તપાસ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે આત્મઘાતી બોમ્બરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ શક્તિશાળી વિસ્ફોટ ત્યારે થયો જ્યારે રેલીના અંતિમ વક્તા ભીડને સંબોધિત કરી રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.ઘટનાની જાણ થતા જ બચાવ ટીમો અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની સૈદુ શરીફ ટીચિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.હાલમાં કોઈ પણ આતંકવાદી જૂથે આ કાયરताપૂર્ણ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
https://twitter.com/KreatelyMedia/status/2083945989967122584
