અલ્પસંખ્યકોને બાજુએ રાખીને કરાઇ રહેલી ચૂંટણીને શેખ હસીનાના પુત્રે યુનુસ સરકારના દેખાડા તરીકે સંબોધિત કર્યુ છે.

ચૂંટણીને 'નાટક' તરીકે સંબોધ્યુ

બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદ 12 ફેબ્રુઆરીના રોજ થનાર ચૂંટણીને 'નાટક' તરીકે સંબોધ્યુ છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે, મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વવાળી વચગાળાની સરકાર ચૂંટણી નહી નાટક કરી રહી છે. યુનુસની વચગાળાની સરકારને સજીબ વાજેદે કટ્ટર ઇસ્લામી પાર્ટી જમાત-એ-ઇસ્લામી સમર્થિત ગણાવી છે. જે ચૂંટણીના નામે માત્ર નાટક કરી રહી છે.

સજીબ વાજેદની ચેતવણી

શેખ હસીનાના પુત્રએ ચેતવણી આપી છે કે, બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ પ્રદર્શનોમાં વિદ્યાર્થીઓને મ્હોરા બનાવવામાં આવી રહ્યા છે. સજીબ વાજેદે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યુ છે અને લખ્યુ છે કે, બાંગ્લાદેશમાં થનાર આવામી ચૂંટણી પારદર્શી લોકતાંત્રિક પ્રક્રિયા નથી. તે યુનુસ સરકાર દ્વારા ચરિત એક નાટક છે. કટ્ટરપંથીઓએ વિદ્યાર્થીઓ પાસેથી સત્તા છીનવી લીધી હતી.

સજીબ વાજેદના યુનુસ સરકાર પર પ્રહાર

યુનુસ સરકાર પર હુમલો કરતા તેમણે કહ્યું કે, આ સરકાર ચૂંટણીઓને લોકશાહીના ઉજવણીમાં પરિવર્તિત કરવા માંગતી નથી. તે તેનો ઉપયોગ કટ્ટરવાદ સ્થાપિત કરવા માટે સાધન તરીકે કરવા માંગે છે. અહીં જે મહત્વનું છે તે મતપેટી નથી, પરંતુ પૂર્વ-લેખિત સ્ક્રિપ્ટ છે. યુનુસની યોજના, જાહેર અભિપ્રાય નહીં, અંતિમ શબ્દ છે. વાજેદે કહ્યું કે બાંગ્લાદેશના લોકો પાસે ફક્ત બે જ વિકલ્પો છે. એક આ નાટકીય ચૂંટણીમાં ભાગ લો અને કટ્ટરવાદને કાયદેસર બનાવો, અથવા તેને નકારો અને તેમના ભવિષ્યનું રક્ષણ કરો.

  • Follow us on: