ઇઝરાયલની નેતન્યાહૂ સરકાર દ્વારા ધાર્મિક સ્ટુડન્ટની સૈન્ય છૂટ સમાપ્ત કરવાની યોજનાના વિરોધમાં રવિવારે ન્યૂયોર્કમાં હજારો યહૂદીઓએ પ્રદર્શન કર્યુ. આ વિરોધ ઇઝરાયલી વાણિજ્ય દૂતાવાસની બહાર થયો, જે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયની પાસે સ્થિત છે. જેમાં મોટી સંખ્યામાં યહૂદી સમુદાયના લોકો સામેલ થયા. ખાસ કરીને ન્યૂયોર્ક અને તેના ઉપનગરો વિસ્તારથી પ્રદર્શન કરી રહેલા લોકોનુ કહેવુ છે કે ઇઝરાયલી સરકાર આ નિર્ણય તેમની આસ્થા અને ધાર્મિક શિક્ષા પર સીધો હુમલો છે.


આ પ્રદર્શનની અપીલ સતમાર સમુદાયના બે પ્રભાવશાળી પરંતુ પ્રતિદ્વંદ્વી ધાર્મિક ગુરૂઓ ગ્રેડ રબ્બીએ કરી હતી. આ સિવાય સેન્ટ્રલ રિબ્બનિકલ કોંગ્રેસ ઓફ યુએસએ એન્ડ કેનેડા નામના યહૂદી સંગઠનોના સમૂહે પણ આનું આયોજન કર્યુ.

શું કહેવુ છે ધાર્મિક યહૂદીઓનુ?

આ મામલે ધાર્મિક યહૂદીઓન કહેવુ છે કે સેનામાં જબરદસ્તી ભરતી થવાને કારણે તેમની ધાર્મિક શિક્ષા અને પરંપરાઓ બાધિત થશે. તો ઇઝરાયલમાં ઘણા લોકોનુ માનવુ છે કે આ છૂટ અસામનતા ઉત્પન્ન કરે છે. આ વિવાદ ખાસ કરીને ગાઝા યુદ્ધ શરૂ થયા બાદ વધુ વધી ગયો છે. આપને જણાવી દઇએ કે આ વિરોધ એવા સમયે થયો છે કે જ્યારે ઇઝરાયલની સુપ્રીમ કોર્ટે પાછલાં વર્ષે સરકારને આદેશ આપ્યો હતો કે તેઓ ધાર્મિક યહૂદી પુરૂષોની પણ સેનામાં ભરતી શરૂ કરે. આ છૂટ 1948માં ઇઝરાયલના નિર્માણથી જ આપવામાં આવી રહી હતી.

સતમાર સમુદાયના નેતાઓનું શું કહેવું છે?

તો બીજી તરફ સતમાર સમુદાયના નેતા રબ્બી મોઇશોએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યુ કે મને આટલી ભીડની આશા નહોતી. પરંતુ લોકોની ચિંતા અને અંસતોષ હવે ખુલીને સામે આવ્યા છે. આ દરમિયાન તેમણે અમેરિકા અને ન્યૂયોર્ક સરકારનો આભાર પણ જતાવ્યો કે આ ધર્મ અનુસાર જીવવા અને બાળકોને ટોરા એટલે કે યહૂદી ધર્મગ્રંથ ભણાવવાની આઝાદી છે.


  • Follow us on: