ડોનાલ્ડ ટ્રમ્પના પીછેહઠ પછી, રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીના તેના સૌથી ગંભીર હુમલાઓમાંથી એક શરૂ કર્યો હતો.
27 બેલિસ્ટિક મિસાઇલથી હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને પેટ્રિઅટ મિસાઇલ ટેકનોલોજી પૂરી પાડવાનું પાછું ખેંચી લીધું છે. આ યુક્રેન માટે એક ફટકો હતો. કલાકો પછી, રશિયાએ 27 બેલિસ્ટિક મિસાઇલો સાથે મોટો હુમલો કર્યો હતો. જેમાંથી યુક્રેન ફક્ત એકને અટકાવવામાં સફળ રહ્યુ હતુ. જેમાં લગભગ નવ લોકો માર્યા ગયા. જવાબમાં, યુક્રેને કાળા સમુદ્રમાં 1,00,000 ટન વજન ધરાવતા રશિયન કન્ટેનર જહાજ "યાનિના" ને ડૂબાડી દેવાનો દાવો કર્યો છે.
હુમલામાં નવ લોકોના મોત
રશિયાએ રાતોરાત 27 બેલિસ્ટિક મિસાઇલો છોડી, પરંતુ યુક્રેન ફક્ત એકને તોડી પાડવામાં સફળ રહ્યું. બાકીની 26 મિસાઇલોએ કિવ સહિત અનેક શહેરોમાં વિનાશ વેર્યો. હુમલામાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 30 થી વધુ ઘાયલ થયા. જવાબમાં, યુક્રેને કાળા સમુદ્રમાં એક મોટું રશિયન કન્ટેનર જહાજ પણ ડૂબાડી દીધું. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે દેશ હવે પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર મિસાઇલોની તીવ્ર અછતનો સામનો કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આ જ કારણ છે કે રશિયા સતત બેલિસ્ટિક મિસાઇલ હુમલા કરી રહ્યું છે.
હુમલાનું સૌથી આઘાતજનક પાસું
આ હુમલાનું સૌથી આઘાતજનક પાસું એ હતું કે યુક્રેન રશિયા દ્વારા છોડવામાં આવેલી 27 બેલિસ્ટિક મિસાઇલોમાંથી ફક્ત એકને અટકાવવામાં સફળ રહ્યું હતું. બાકી રહેલી લગભગ બધી મિસાઇલો તેમના લક્ષ્યો સુધી પહોંચી ગઈ. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલી નબળી પડી ગઈ છે, અને પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર્સનો અભાવ હવે ઘાતક સાબિત થઈ રહ્યો છે. રશિયન હુમલાના થોડા કલાકો પછી, યુક્રેને કાળા સમુદ્રમાં મોટો જવાબ આપ્યો હતો.
હુમલાઓ "ચાંચિયાગીરી"નો એક ભાગ
રશિયાની રાજ્ય માલિકીની પરમાણુ કંપની, રોસાટોમે પણ સ્વીકાર્યું હતું કે બે યુક્રેનિયન નૌકાદળના ડ્રોન દ્વારા ટક્કર માર્યા પછી જહાજ કાળા સમુદ્રમાં ડૂબી ગયું હતું. કંપનીના જણાવ્યા અનુસાર, આ હુમલો નોવોરોસિસ્ક બંદરથી આશરે 130 નોટિકલ માઇલ દૂર આંતરરાષ્ટ્રીય પાણીમાં થયો હતો. રશિયાએ દાવો કર્યો હતો કે જહાજમાં ફક્ત નાગરિક માલસામાન, જેમ કે સ્થિર ખોરાક અને બાંધકામ સામગ્રી, લઈ જવામાં આવી રહી હતી, અને આ હુમલાને "ચાંચિયાગીરી" ગણાવ્યો હતો. જોકે, તેણે એમ પણ કહ્યું હતું કે જહાજમાં સવાર તમામ 17 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ભારતીય રાજદૂતે ઉઘાડો પાડ્યો નાપાક ચહેરો, બતાવી જળ સંકટની અસલી બીમારી!
