અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ વચ્ચે રશિયાના ઉપ પ્રધાનમંત્રી દિમિત્રી પાત્રુશેવ આ મહિને નવી દિલ્હીના પ્રવાસે આવી શકે છે. પાત્રુશેવ કૃષિ ક્ષેત્રના વિશેષજ્ઞ છે અને તેમની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતથી ઝિંગાની આયાત અને ખાતરનો પુરવઠો વધારવાનો ઉદ્દેશ્ય છે. ભારત અમેરિકાને ઝીંગાનો સૌથી મોટો સપ્લાયર છે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 50% ટેરિફ લાદવામાં આવ્યા બાદ વેપાર પર અસર પડી છે. નિષ્ણાતો માને છે કે રશિયા ભારતીય ઝીંગા નિકાસકારો માટે એક આકર્ષક બજાર બની શકે છે.
પાત્રુશેવની મુલાકાતનો એજન્ડા
આ મુલાકાત દરમિયાન દિમિત્રી પાત્રુશેવ દ્વિપક્ષીય વેપાર સંબંધોને મજબૂત બનાવવા માટે મુખ્ય ભારતીય મંત્રીઓને મળી શકે છે. અમેરિકા ભારતીય ઝીંગા માટે સૌથી મોટું બજાર રહ્યું છે, જ્યાં દર વર્ષે અબજો ડોલરનો વેપાર થાય છે. જોકે ટ્રમ્પના ટેરિફથી આ વેપાર પર અસર પડી છે. હવે ભારતીય ઝીંગા નિકાસકારોને યુએસ બજારમાં ઇક્વાડોર, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને ચીન જેવા દેશો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં રશિયાનું ઝીંગા બજાર ભારત માટે રાહતનો માર્ગ બની શકે છે.










