પાકિસ્તાનના માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારએ જણાવ્યું હતું કે, ઇમરાન ખાનની હાલત સંપૂર્ણપણે સ્થિર છે.

ઇમરાન ખાનના આંખની સર્જરી કરાઇ

જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ ઇમરાન ખાને ગયા અઠવાડિયે હોસ્પિટલમાં આંખની સારવાર કરાવી હતી. માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારએ ગુરુવારે આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇમરાન ખાન હાલમાં સ્વસ્થ છે અને તેમને કોઈ ગંભીર સમસ્યા નથી. 73 વર્ષીય ઇમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીએ દાવો કર્યો હતો કે ઇમરાન ખાનને આંખની ગંભીર બીમારી છે.

સમર્થકો અને પરિવારમાં ચિંતા

પીટીઆઈએ એ પણ અહેવાલ આપ્યો હતો કે ઇમરાન ખાનને જમણી આંખમાં સેન્ટ્રલ રેટિના વેઇન ઓક્લુઝન છે.જે એક એવી સ્થિતિ છે જે આંખની નસમાં અવરોધનું કારણ બને છે. તેનાથી વિપરીત, ઇમરાન ખાનની બહેન, નૂરીન ખાને જણાવ્યું હતું કે તેમના ભાઈને આંખની કોઈ ગંભીર બીમારી નથી. જોકે, નૂરીન ખાને આરોપ લગાવ્યો હતો કે ઈમરાનને સારવારના બહાને રાત્રિના અંધારામાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને સ્પષ્ટ માહિતી આપ્યા વિના લગભગ ત્રણ કલાક પછી જેલમાં પાછો ફર્યો હતો.

ઈમરાન ખાનની સારવાર કેવી રીતે કરાઇ ?

અલ-કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઇમરાને ગયા અઠવાડિયે આંખમાં તકલીફની ફરિયાદ બાદ ઈસ્લામાબાદની પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં લઈ જવામાં આવી હતી. શરૂઆતમાં તેમની અદિયાલા જેલમાં તપાસ કરવામાં આવી હતી. ડોકટરોની સલાહ પર, ઈમરાન ખાનને શનિવારે રાત્રે કડક સુરક્ષા હેઠળ પીઆઈએમએસમાં દાખલ કરવામાં આવ્યા હતા. માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં તેમની આંખોની ફરીથી તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Lifestyle: માઈગ્રેનના દુઃખાવાને 10 મિનિટની કસરતથી કરો દૂર અને મેળવો રાહત

  • Follow us on: