પાડોશી દેશ એવા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક હિંદુ મંદિરનું જીર્ણોદ્વાર થઈ રહ્યો છે. આ માટે રૂપિયા એક કરોડ પાકિસ્તાની રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. બજેટ ફાળવણી કરવાથી આ મંદિરના જર્જરિત થયાના 64 વર્ષ પછી જીર્ણોદ્વારનો પ્રથમ તબક્કો શરૂ થયો છે. પાકિસ્તાનમાં લઘુમતીઓના પૂજા સ્થળોની દેખરેખ રાખનારી સંસ્થા ઈવેક્યુ ટ્રસ્ટ બોર્ડે પંજાબમાં રાવી નદીના પશ્ચિમ તટ પર આવેલું નારોવાલ શહેરના ઝફરવાલ નગરમાં બાવલી સાહિબ મંદિરનું નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મંદિર વર્ષ-1960માં જર્જરિત થયું હતું. અત્યારે નારોવાલ જિલ્લામાં કોઈ હિંદુ મંદિર નથી જેનાથી હિંદુ સમુદાયને ધાર્મિક અનુષ્ઠાન ઘરે જ કરવાની નોબત આવી છે. અથવા તેની માટે સિયાલકોટ અને લાહોરના મંદિરમાં જવું પડે છે.

એક સમયે અહીં 45 મંદિરો હતા
પાક ધર્મસ્થાન કમિટીના ભૂતપૂર્વ અધ્યક્ષે જણાવ્યું હતું કે બાઓલી સાહિબ મંદિર પર ETPBના નિયંત્રણને લીધે, તે જર્જરિત થઈ ગયું હતું અને નારોવાલમાં 1,453 થી વધુ હિંદુઓ તેમના પૂજા સ્થળથી વંચિત હતા. પાકિસ્તાનની રચના પછી નારોવાલ જિલ્લામાં 45 મંદિરો હતા પરંતુ સમારકામના અભાવે તે બધા જર્જરિત થઈ ગયા. આર્યએ કહ્યું કે પાક ધર્મસ્થાન સમિતિ છેલ્લા 20 વર્ષથી બાઓલી સાહિબ મંદિરના જીર્ણોદ્ધારની માંગ કરી રહી છે. તેમણે કહ્યું કે સરકારે હિંદુ સમુદાયની માંગણીઓ પૂરી કરવા માટે મંદિરના સમારકામ માટે પગલાં લીધાં છે.

આ પણ જાણી લો...
સુપ્રીમ કોર્ટના 'વન મેન કમિશન'ના અધ્યક્ષ શોએબ સિદ્દલ અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સભ્ય મંજૂર મસીહે મંદિરના સમારકામના પ્રયાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પાક ધર્મસ્થાન સમિતિના અધ્યક્ષ સાવન ચંદે જણાવ્યું હતું કે બાઓલી સાહિબ મંદિરના જીર્ણોદ્ધારથી હિન્દુ સમુદાયની લાંબા સમયથી ચાલતી માંગ પૂરી થશે, જેનાથી તેઓ પૂજા સ્થળ પર ધાર્મિક વિધિઓ કરી શકશે. પાકિસ્તાનમાં હિન્દુઓ સૌથી મોટો લઘુમતી સમુદાય છે. સત્તાવાર અંદાજ મુજબ, પાકિસ્તાનમાં 75 લાખથી વધુ હિન્દુઓ રહે છે. જો કે, સમુદાય અનુસાર, દેશમાં 90 લાખથી વધુ હિન્દુઓ છે.

  • Follow us on: