પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેનમાંથી ઉતરતી વખતે તેઓનો પગ તૂટયો હતો. આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી, પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપતિના કાર્યાલયે ગુરુવારે મોડી રાત્રે તેની પુષ્ટિ કરી હતી.

ચાર અઠવાડિયા સુધી ઝરદારી પથારીવશ થયા
મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવને કહ્યું કે, ઝરદારી પ્લેનમાંથી ઉતરતી વખતે પડી ગયા હતા. આ પછી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તપાસ બાદ તબીબોએ તેઓના પગ પર પ્લાસ્ટર લગાવ્યું હતું. પ્લાસ્ટર ચાર અઠવાડિયા સુધી તેની જગ્યાએ રહેશે. હાલમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઘરે મોકલીને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

ઝરદારીએ પહેલા પણ આ સમસ્યાઓનો સામનો કર્યો છે
મળતી માહિતી અનુસાર, 69 વર્ષીય રાષ્ટ્રપતિ તાજેતરના વર્ષોમાં ઘણી આરોગ્યને લઈ સમસ્યાઓથી પીડાય છે. માર્ચ-2023માં સંયુક્ત આરબ અમીરાતમાં તેઓની આંખની સર્જરી થઈ હતી. આ પહેલા વર્ષ 2022માં તેમને છાતીમાં ઈન્ફેક્શનની સારવાર માટે એક સપ્તાહ માટે કરાચીની ડૉ. ઝિયાઉદ્દીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નાદુરસ્ત સ્વાસ્થ્યની અફવાઓ વચ્ચે, તેમના અંગત ચિકિત્સક અને નજીકના સહાયક ડૉ. અસીમ હુસૈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પુષ્ટિ કરી હતી કે રાષ્ટ્રપતિની

તબિયત સારી છે
તેમના પુત્ર અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીના જણાવ્યા અનુસાર, જુલાઈ-2022માં તેમનો કોરોના વાયરસ માટે ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં COVID-19ના હળવા લક્ષણો તેમનામાં જોવા મળ્યા હતા.

  • Follow us on: