પાડોશી દેશ પાકિસ્તાનમાં સિંધ પોલીસની પ્રથમ હિંદુ મહિલા અધિકારીએ આશા વ્યક્ત કરી છે કે, તેની સ્ટોરીથી તેના સમુદાયની યુવતીઓને પ્રેરણા મળશે અને આ વ્યવસાયમાં આવવાનો વિકલ્પ પસંદ કરશે. જેકોબાબાદથી સંબંધ રાખનાર ડીએસપી મનીષા રોપેટાએ વર્ષ-2021માં સિંધ લોકસેવા આયોગની પરીક્ષા પાસ કરી હતી, જે તેના જેવા મધ્યમ વર્ગીય પરિવાર માટે દુર્લભ વાત છે.



પાકિસ્તા પોલીસમાં બે પ્રકારના અધિકારી વર્ગ છે. એક વર્ગ એવો છે જે પોતાના અનુભવના આધારે મોટા પદ સુધી પહોંચે છે અને બીજો વર્ગ સેન્ટ્રલ સુપીરિયર સર્વિસેસ પરીક્ષા પાસ કર્યા પછી નિયુક્ત અને પ્રમોશન થતા હોય છે.

પાડોશી દેશ એવા પાકિસ્તાનમાં મહિલાઓ સાથે દુષ્કર્મ અને અન્ય ઘૃણાસ્પદ ઘટનાઓના સમાચારો આવતા રહેતા હોય છે. પરંતુ આ દરમિયાન સિંધ પોલીસની પ્રથમ હિંદુ મહિલા અધિકારી મનીષા રોપેટા વિશેષ ચર્ચામાં છે. ડીએસપી તરીકે તૈનાત મનીષા રોપેટાએ પોલીસની ઈમેજ સુધારવા મોટું યોગદાન આપ્યું છે.

અનેક પડકારોનો સામનો

પાકિસ્તાન પોલીસમાં ખૂબ ઓછું ભણેલી મહિલા અધિકારીઓ છે. આવામાં સંરક્ષણ ક્ષેત્રમાં ડીએસપી તરીકે તૈનાત મનીષા રોપેટાએ સિંધ પ્રાંતમાં પોલીસની ઈમેજ સુધારવા ઘણું યોગદાન આપ્યું છે. રોપેટાએ પાકિસ્તાની અભિનેત્રી નિમરા ખાનના અપહરણના પ્રયાસના કેસને ઉકેલવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રોપેટા માને છે કે એક મહિલા પોલીસ અધિકારી હોવું અને તે પણ લઘુમતી સમુદાયમાં સંબંધ રાખવો શરૂઆતના ગાળામાં એક મોટો પડકાર હતો. પરંતુ આનાથી તેને જુદાજુદા ગુનાઓથી પીડિતો સાથે સંવાદ કરવા અને મદદ કરવામાં મદદ મળી. તેને વધુમાં કહ્યું કે, ‘જ્યારે મેં નિમરાના કેસને હાથમાં લીધો તો હું આ પીડાદાયક ઘટના પછી તેના ડરને અનુભવી શકું છું.’

પોલીસ યુનિફોર્મ પહેરીને ગર્વની લાગણી થાય છે'

ડીએસપી રોપેટાએ કહ્યું કે તેમના સાથી અધિકારીઓ અને સહકર્મીઓ તેમનું સન્માન કરે છે અને તેમના કામની પ્રશંસા કરે છે. રોપેટાએ કહ્યું, "કેટલીક લિંગ સમસ્યાઓ હોઈ શકે છે, પરંતુ હું એકલતા અનુભવતી નથી અને તેનાથી કોઈ ફરક પડતો નથી કે હું એક હિન્દુ મહિલા છું." આજે પણ, જ્યારે હું પોલીસનો યુનિફોર્મ પહેરું છું, ત્યારે મને ગર્વ થાય છે અને મને આશા છે કે અમારા સમુદાયની છોકરીઓ મારી વાર્તાથી પ્રેરિત થશે અને મેં લીધેલા માર્ગને અનુસરશે.'' તેણીએ કહ્યું, ''જ્યારે હું 13 વર્ષની હતી ત્યારે અમે હારી ગયા. અમારા પિતા જેકોબાબાદમાં વેપારી હતા. ત્યારથી, અમારા એકમાત્ર ભાઈએ હંમેશા મને પોલીસ દળમાં જોડાવા માટે પ્રોત્સાહિત અને સમર્થન આપ્યું હતું.'' રોપેટાએ કહ્યું કે તેણીનું પોલીસ દળમાં જોડાવું એ એક મોટું પગલું હતું, કારણ કે સિંધમાં શિક્ષિત હિન્દુ પરિવારોની છોકરીઓ સામાન્ય રીતે તબીબી ક્ષેત્રે જાય છે અથવા શિક્ષણનો વ્યવસાય કરે છે .

અભિનેત્રી નિમરા ખાને શું પ્રતિક્રિયા આપી?

અભિનેત્રી નિમરા ખાને જણાવ્યું કે, શરૂઆતમાં મારી પર આંગળીઓ ચીંધાઈ અને મીડિયા તેમજ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ મારા અપહરણના પ્રયાસની નાની-મોટી ઘટના બતાવી પરંતુ ડીએસપી મનીષા રોપેટાએ મારા કેસને કાળજીપૂર્વક શાંતિથી સારી રીતે ઉકેલવામાં મદદ કરી હતી. અભિનેત્રી નિમરાએ વધુમાં જણાવ્યું કે, એક ભણેલી ગણેલી યુવતી પોલીસ અધિકારી સાથે વાત કરતા તેને અનુભવ થયો કે જાહેર રીતે આ ઘટના અંગે વાત કરવા તેઓ યોગ્ય પગલું લીધું.

  • Follow us on: