• તાઈવાનમાં રાહત કામગીરી દરમિયાન ફરી ભૂકંપના આંચકા
  • ભૂકંપના આંચકા વચ્ચે નમી ગયેલી ઈમારતને હટાવવાનું કામ રોકી દેવાયું
  • તાઈવાનમાં ભયના માહોલ વચ્ચે આજે 5.2ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો

આજથી ઠીક ચાર દિવસ પહેલા આવેલા 7.4ની તીવ્રતાના ભૂકંપ બાદ તાઈવાનમાં સતત આંચકા અનુભવાઈ રહ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે ભૂકંપના કારણે 600થી વધુ લોકો હજુ પણ ક્યાંક ફસાયેલા છે. જેમના સુધી રાહત પહોંચી નથી. દરમિયાન, તાઈવાનમાં ભૂકંપના કારણે નમેલી ઈમારતને તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ તાજેતરના ભૂકંપ બાદ હજુ પણ સતત આંચકા અનુભવાઈ રહ્યા છે અને આ દરમિયાન અડધી નમેલી ઈમારતને તોડી પાડવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે.

તાઈવાનમાં આવેલા ભૂકંપ વચ્ચે નમેલી ઈમારતને તોડી પાડવાનું કામ અટકી ગયું

હુઆલીન શહેરમાં 10 માળની લાલ ઈમારત બુધવારે ત્રાટકેલા 7.4 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપની એક લેન્ડમાર્ક છબી બની ગઈ છે. ભૂકંપના કારણે હુઆલિન શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર જાણીતા સ્થળ તારોકો નેશનલ પાર્કમાં લોકો મોટા પથ્થરો નીચે દટાઈ ગયા હતા. પાર્કમાંથી આજે ત્રીજા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા કુલ મૃતકોની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. અન્ય છ લોકો ગુમ છે.

આજે પણ 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

ભૂકંપના ત્રણ દિવસ બાદ પણ તાઈવાનમાં 600થી વધુ લોકો ફસાયેલા છે. મોટાભાગના લોકો તારોકો પાર્કની હોટલમાં છે. ભૂકંપ બાદ સેંકડો આંચકા અનુભવાયા છે. આમાંથી એક આંચકો શનિવારે બપોરના થોડા સમય પહેલા અનુભવાયો હતો, જેની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. ભૂકંપના સતત આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

  • Follow us on: