- પાકિસ્તાનની ગરીબી અને દુર્દશા કોઈનાથી છુપી નથી
- 16 ભિખારીઓને સાઉદી અરેબિયાની ફ્લાઈટમાંથી ફેંકી દેવામાં આવ્યા
- દેશ છોડીને ઉમરાહ વિઝા દ્વારા સાઉદી અરેબિયા જવા માંગતા હતા
પાકિસ્તાનની ગરીબી અને દુર્દશા કોઈનાથી છુપી નથી. હવે ત્યાંના લોકો માટે બે ટાઈમનું જમવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. કદાચ આ જ કારણ છે કે પાકિસ્તાન હવે ભિખારીઓનો નિકાસકાર બની ગયો છે. હાલનો એક મામલો પાકિસ્તાનના મુલતાન એરપોર્ટનો છે જ્યાં 16 ભિખારીઓને સાઉદી અરેબિયાની ફ્લાઈટમાંથી ફેંકી દેવામાં આવ્યા હતા.
ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઇએ) એ બે દિવસ પહેલા મુલતાન એરપોર્ટ પર સાઉદી અરેબિયા જતી ફ્લાઇટમાંથી ઉમરાહ યાત્રાળુઓના વેશમાં આવેલા 16 કથિત ભિખારીઓને ઉતારી દીધા હતા. પ્લેનમાંથી ઉતરેલા જૂથમાં એક બાળક, 11 મહિલાઓ અને ચાર પુરુષોનો સમાવેશ થાય છે.
ઉમરાહના નામે વિઝા લેવામાં આવ્યા
આ લોકો દેશ છોડીને ઉમરાહ વિઝા દ્વારા સાઉદી અરેબિયા જવા માંગતા હતા. ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન FIA અધિકારીઓએ મુસાફરોની પૂછપરછ કરી હતી જેમણે કબૂલાત કરી કે તેઓ ભીખ માંગવા માટે વિદેશ જતા હતા. તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે ભીખ માંગવાથી થતી કમાણીનો અડધો ભાગ તેની મુસાફરીની વ્યવસ્થામાં સામેલ એજન્ટોને આપવો પડે છે. ઉમરાહ વિઝાની મુદત પૂરી થતાં તેને પાકિસ્તાન પરત ફરવું પડ્યું હતું. FIAએ વધુ પૂછપરછ અને કાનૂની કાર્યવાહી માટે મુલ્તાનથી આ મુસાફરોની ધરપકડ કરી છે.
ઓવરસીઝ પાકિસ્તાની અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સેનેટ કમિટી ઓન ઓવરસીઝ પાકિસ્તાની સમક્ષ એવો ઘટસ્ફોટ કર્યાના એક દિવસ બાદ આ ધરપકડ કરવામાં આવી છે કે ભિખારીઓને ગેરકાયદે રીતે ભીખ માંગવા વિદેશ મોકલવામાં આવે છે. મંત્રાલયના સચિવે સેનેટ પેનલને જણાવ્યું હતું કે વિદેશમાં પકડાયેલા ભિખારીઓમાં 90 ટકા પાકિસ્તાનના છે. તેમણે કહ્યું હતું કે, ઇરાકી અને સાઉદી રાજદૂતો બંનેએ આ ધરપકડોને કારણે જેલોમાં ભીડ હોવાની જાણ કરી છે.
પાકિસ્તાની ભિખારીઓ વિદેશમાં કેવી રીતે જાય છે?
સેનેટ પેનલને આપેલા રિપોર્ટમાં વિદેશ મંત્રાલયના સચિવ ઝુલ્ફીકાર હૈદરે કહ્યું હતું કે લગભગ 30 લાખ પાકિસ્તાની સાઉદી અરેબિયામાં 15 લાખ યુએઈમાં અને 2 લાખ કતારમાં છે. મોટાભાગના ભિખારીઓ સાઉદી અરેબિયા, ઈરાન અને ઈરાક જવા માટે હજ યાત્રા માટે આપવામાં આવેલા વિઝાનો લાભ લે છે. એકવાર તેઓ ત્યાં પહોંચે છે તેઓ ભીખ માંગવાનું શરૂ કરે છે. મોટી સંખ્યામાં ભિખારીઓ પાકિસ્તાન છોડી રહ્યા છે. હૈદરે એમ પણ કહ્યું કે, મક્કા મસ્જિદ સિવાય પણ અનેક ધાર્મિક સ્થળો પરથી મોટી સંખ્યામાં પિકપોકેટ્સ પકડાયા છે અને તેમાંથી મોટાભાગના પાકિસ્તાની નાગરિકો છે.