- ગાંધી જયંતિ નિમિત્તે ખાલિસ્તાનીઓએ હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું
- વડા ગુરુચરણ સિંહે ભારતના તિરંગા રાષ્ટ્રધ્વજ પર ગૌમૂત્ર ફેંક્યું
- બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને પણ આ જ ગૌમૂત્ર પીવા માટે કહ્યું હતું
કેનેડા બાદ લંડનમાં ખાલિસ્તાનીઓએ પ્રદર્શન કર્યું છે. ખાલિસ્તાનીઓ ફરી એકવાર ભારતીય હાઈ કમિશનની બહાર એકઠા થયા હતા. વિરાધીઓએ બ્રિટિશ સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં ભારત વિરોધી બોર્ડ અને અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ આ વખતે પણ તેણે કંઈક એવું કર્યું જેનાથી તમારું લોહી ઉકળી જશે. આ ખાલિસ્તાનીઓએ ભારતના તિરંગા પર ગૌમૂત્ર ફેંક્યું હતું. પરંતુ આ સમયે એક ભારતીય યુવકે તિરંગો ઉપાડીને તેનું સન્માન બચાવ્યું હતું. લંડનમાં આ હાલનું પ્રદર્શન એવા સમયે થયું છે જ્યારે ભારતીય રાજદ્વારીને સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. આ વર્ષે માર્ચમાં પણ ખાલિસ્તાનીઓએ ભારતીય દૂતાવાસમાં આવી જ રીતે પ્રદર્શન કર્યું હતું.
ભારતને ધમકી આપી
ગાંધી જયંતિ નિમિત્તે ખાલિસ્તાનીઓએ હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું હતું. પરમજીત સિંહ પમ્માના નેતૃત્વમાં આ પ્રદર્શન થઈ રહ્યું હતું. દલ ખાલસા યુકેના શીખોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ સંસ્થાના વડા ગુરુચરણ સિંહે ભારતના તિરંગા રાષ્ટ્રધ્વજ પર ગૌમૂત્ર ફેંક્યું હતું. આ સાથે તેણે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને પણ આ જ ગૌમૂત્ર પીવા માટે કહ્યું હતું. પ્રદર્શન દરમિયાન પમ્માને ભારતને પડકાર ફેંક્યો હતો અને નિજ્જરની હત્યાનો બદલો લેવાની ધમકી પણ આપી હતી. દલ ખાલસા એ ગુરપતવંત સિંહ પન્નુની સંસ્થા શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે જોડાયેલી સંસ્થા છે. પમ્મા ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ભાગ છે અને એનઆઈએની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પણ સામેલ છે.
માર્ચમાં પણ તિરંગાનું અપમાન થયું
ખાલિસ્તાનીઓએ માર્ચમાં પણ આવી જ રીતે હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું હતું. તે સમયે અવતાર સિંહ ખંડાએ તિરંગો હટાવીને ફેંકી દીધો હતો. તેમજ ત્યાં ખાલિસ્તાનનો ઝંડો લગાવવામાં આવ્યો હતો. લંડનમાં નવા પ્રદર્શનને પગલે હાઈ કમિશનમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. માત્ર ચાર દિવસ પહેલા જ યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરવાઈસ્વામીને ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓએ ગ્લાસગો શહેરમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. યુકે સરકારને જાણ કરતા પહેલા ભારતીય મિશન દ્વારા આ ઘટનાને 'અપમાનજનક' ગણાવી હતી.
ખાલિસ્તાનીઓ કાબૂ બહાર જશે
ખાલિસ્તાનને લઈને યુકે સરકારના પૂર્વ સલાહકાર દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી છે. કોલિન બ્લૂમે ઉગ્રવાદની ઘટનાઓ વધવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે કારણ કે 'પશ્ચિમ સરકારોએ' ખાલિસ્તાનીઓના ડરાવવા અને આક્રમક વર્તનનો સામનો કરવા માટે જરૂરી પગલાં લીધા નથી. બ્લૂમે ભાર મૂક્યો હતો કે યુકે અને કેનેડિયન બંને સરકારોએ આ મુદ્દાને ઉકેલવા માટે વધુ સક્રિય પગલાં લેવા જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પરિસ્થિતિ 'કાબૂ બહાર' જઈ શકે છે.