- ભારત-કેનેડા વચ્ચેના સંબંધો તણાવગ્રસ્ત
- ટ્રુડોના પિતા પિયર ટ્રુડો 1968ના દાયકામાં કેનેડામાં સત્તા પર હતા
- આયર્લેન્ડ નજીક વિમાનમાં બોમ્બ વિસ્ફોટ થતા બની હતી દુર્ઘટના
ખાલિસ્તાન મુદ્દે ભારત-કેનેડા વચ્ચેના સંબંધો ફરી એકવાર તણાવગ્રસ્ત થયા છે. કેનેડામાં રહેલા ખાલિસ્તાની આતંકવાદીઓ ભારત માટે ઘણા સમયથી અનેક પડકાર બનીને સામે આવી રહ્યા છે. જેના કારણે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંભવિત સંડોવણી અંગે શંકા વ્યક્ત કરી છે, જેની તપાસ ચાલી રહી છે.
જસ્ટિન ટ્રુડો મોટા ભાગે વિદેશી રાજકીયનીતિમાં ટ્રુડો તેમના પિતાના માર્ગ પર ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે જસ્ટિનના પિતાની એક ભૂલને કારણે 331 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મળતી માહિતી મુજબ વાત જાણે એમ છેકે, જસ્ટિન ટ્રુડોના પિતા પિયર ટ્રુડો 1968થી 1979 અને 1980થી 1984 સુધી કેનેડામાં સત્તા પર હતા. આ સમયગાળા દરમિયાન ભારતમાં ઈન્દિરા ગાંધીની સરકાર હતી. આ દરમિયાન ઈન્દિરા ગાંધીએ પિયર ટ્રુડો પાસે ખાલિસ્તાની આતંકવાદી તલવિંદર સિંહ પરમારને ભારતને પ્રત્યાર્પણ કરવાની માંગ કરી હતી. કેનેડાએ તલવિંદર સિંહને આશ્રય આપ્યો હતો. પિયર ટ્રુડોએ ચોક્કસ અરજી પર તલવિંદર સિંહને ભારતને પ્રત્યાર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો કે ભારત, કોમનવેલ્થનું સભ્ય હોવા છતાં, બ્રિટનની રાણીની સાર્વભૌમત્વને માન્યતા આપતું નથી. તલવિંદર સિંહ પરમારે એક મોટું કાવતરું ઘડ્યું અને આયર્લેન્ડ નજીક એર ઈન્ડિયાના વિમાન પર જોરદાર બોમ્બ વિસ્ફોટ કર્યો, ઘટનામાં 331 મુસાફરો માર્યા ગયા.













