- ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ
- મૃતકો અને ઈજાગ્રસ્તોને તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
- તુર્કીની એક રૅસ્ટોરન્ટમાં પ્રચંડ વિસ્ફોટને લીધે ભારે જાનહાનિ સામે આવી
તુર્કીમાં ભીષણ વિસ્ફોટ થવાથી પાંચ લોકોનાં મોત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. જ્યારે 63 લોકો ઈજાગ્રસ્ત છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસડવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યા હજી વધવાની આશંકા છે. ઈજાગ્રસ્તોમાં ઘણા લોકોની સ્થિતિ ગંભીર દર્શાવવામાં આવી રહી છે. આ ઘટના તુર્કીના પશ્ચિમ શહેર ઈઝમીરમાં બની હતી. જ્યાં એક રૅસ્ટોરન્ટમાં આવેલી ટેન્કમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનાને લીધે તાત્કાલિક પાંચ લોકોનાં મોત થયા હતા. જ્યારે 60થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. જો કે ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો.













