- તુર્કી દેશમાં એક પ્રવાસી બસ વીજપોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો
- બસ તુર્કીના ઈઝમિર શહેરથી એગ્રી શહેર તરફ જઈ રહી હતી
- અકસ્માત બાદ સ્થાનિકો, પોલીસ અને રાહત ટીમ દ્વારા કાર્યવાહી
તુર્કીમાં બે શહેરો વચ્ચે યાત્રા પર જઈ રહેલી એક બસ શુક્રવારે સવારે હાઈવે પર આવેલા વીજપોલ સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આમાં સવાર નવ લોકોનાં મોત થયા હતા. જ્યારે ઓછામાં ઓછા 26 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ભીષણ દુર્ઘટના તુર્કીના રાજધાની અંકારાથી આશરે 80 કિલોમીટર દૂર પોલાટલી શહેર નજીક થયો હતો. આ બસ પશ્ચિમ તુર્કીના ઈઝમિર શહેરથી દેશના પૂર્વમાં એગ્રી શહેરની તરફ જઈ રહી હતી. પરંતુ હાઈવે પાસે એક વીજપોલ સાથે અથડાઈ હતી.













