- એર્દોગને ગાઝા પટ્ટીમાં નાગરિકોના મોત માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું
- ઈઝરાયેલ એક આતંકવાદી રાજ્ય છે જે ગાઝામાં યુદ્ધ અપરાધ કરી રહ્યું છે:એર્દોગન
- અમે ઇઝરાયલના ઋણી નથી તેથી જ અમે ખુલ્લેઆમ બોલી રહ્યા છીએ: એર્દોગન
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ગાઝા પટ્ટીમાં નાગરિકોના મોત માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. એર્દોગને કહ્યું હતું કે ઈઝરાયેલ એક આતંકવાદી રાજ્ય છે જે ગાઝામાં યુદ્ધ અપરાધ કરી રહ્યું છે. એર્દોગને પશ્ચિમ અને જર્મનીને ઘેરી લીધા છે અને કહ્યું છે કે તેઓ ઇઝરાયેલ દ્વારા આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનની અવગણના કરી રહ્યા છે. તેના જવાબમાં જર્મનીએ કહ્યું છે કે ઈઝરાયેલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. જેનો તે ઉપયોગ કરી રહ્યો છે.
ઈઝરાયેલ મુદ્દે એર્દોગન અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ વચ્ચેના આ મતભેદો ત્યારે દેખાઈ રહ્યા છે જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિ જર્મનીની મુલાકાતે છે. શુક્રવારે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે એર્ડોગન સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઇઝરાયેલ માટેના તેમના સમર્થનનો બચાવ કરતા કહ્યું હતું કે તેને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. તો બીજી તરફ, એર્દોગને હોલોકોસ્ટ પ્રત્યે જર્મનીની જવાબદારી વિશે વાત કરી અને પૂછ્યું હતું કે બર્લિન ઇઝરાયેલ સાથેના તેના સંબંધોને કેવી રીતે અસર કરી શકે છે.













