•  અમેરિકન નાગરિકોને સાવધાન રહેવા સૂચના અપાઈ
  • સમગ્ર બાંગ્લાદેશમાં ચાર દિવસથી મોબાઈલ ઈન્ટરનેટ બંધ
  •  અમેરિકાના નાગરિકો અને પરિવારના સભ્યોને દેશ પરત આવવા મંજૂરી માગી

પાડોશી દેશ બાંગ્લાદેશ હાલ અનામતની આગમાં સળગી રહ્યું છે. સરકારી નોકરીઓમાં અનામત પ્રથા મુદ્દે શરું થયેલું વિરોધ પ્રદર્શન દેશભરમાં ઉગ્ર રૂપ લઈ ચુક્યું છે. હિંસાથી અસરગ્રસ્ત દેશમાંથી લોકો પલાયન થઈ રહ્યા છે. આ દરમ્યાન અમેરિકાએ પોતાના નાગરિકોને સૂચના આપી છે કે તેઓ બાંગ્લાદેશની યાત્રા ન કરે. ઉપરાંત બીન સરકારી કર્મચારીઓ અને પરિવારના સભ્યોને તેઓની મરજીથી દેશ પરત આવવાની મંજૂરી આપે.

ભીડભાડવાળા વિસ્તારોમાં સાવધાર રહેવા સૂચના

યુએસએ મુસાફરોને વધુમાં જણાવ્યું હતું કે ઢાકા અને સમગ્ર દેશમાં સંચાર સેવાઓ બંધ છે. આના કારણે કાઉન્સેલિંગમાં વિલંબ થઈ શકે છે. યાત્રિકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં ગુના અંગે જાગૃત રહેવું પડશે. એડવાઈઝરીમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે કોઈપણ ચેતવણી વિના હુમલા થઈ શકે છે. તેથી જાહેર વિસ્તારોમાં સાવધાની રાખવાની જરૂર છે. સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશમાં યુએસ એમ્બેસીના સ્ટાફ પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે લોકોને પ્રદર્શનો અને રાજકીય બેઠકોમાં ભાગ લેવાનું ટાળવા કહ્યું છે.

40થી વધુ લોકોનાં મોત થયા છે

બાંગ્લાદેશમાં સત્તાવાળાઓએ દેશભરમાં કડક સંચારબંધી લાદી દીધી છે અને હિંસા અટકાવવા માટે લશ્કરી કર્મચારીઓએ રાજધાનીના ભાગોમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે. સરકારી નોકરીઓની ફાળવણીને લઈને ઘણા દિવસોથી ચાલી રહેલી અથડામણમાં 40થી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બાંગ્લાદેશ માટે ટ્રાવેલ એડવાઈઝરી લેવલ વધારીને ચાર લેવલ કરી દીધું છે એટલે કે મુસાફરી ન કરો. એવું કહેવાય છે કે અશાંતિ, ગુનાખોરી અને આતંકવાદને કારણે નાગરિકોએ બાંગ્લાદેશની યાત્રા ન કરવી જોઈએ. ઉપરાંત, બિન-ઈમરજન્સી યુએસ સરકારી કર્મચારીઓ અને પરિવારના સભ્યોને તેમની સ્વતંત્ર ઇચ્છાથી પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બાંગ્લાદેશના મોટા શહેરોમાં મોટાભાગની ગુનાહિત પ્રવૃત્તિ માટે લૂંટફાટ, ઘરફોડ ચોરી, હુમલો અને ગેરકાયદેસર ડ્રગ હેરફેર જેવા ગુનાઓ જવાબદાર છે, પરંતુ એવા કોઈ સંકેતો નથી કે વિદેશીઓને તેમની રાષ્ટ્રીયતાને કારણે નિશાન બનાવવામાં આવ્યા હોય. આ તમામ ગુના સમય અને સ્થળ પર આધાર રાખે છે.

ચેતવણી વિના હુમલા થઈ શકે છે

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે હુમલાઓ થોડી ચેતવણી વિના અથવા તેની સાથે થઈ શકે છે અને આતંકવાદીઓ પ્રવાસન સ્થળો, પરિવહન કેન્દ્રો, બજારો/શોપિંગ મૉલ્સ, રેસ્ટોરન્ટ, પૂજા સ્થાનો, શાળાના કેમ્પસ અને સરકારી સુવિધાઓ જેવા જાહેર વિસ્તારોને નિશાન બનાવે છે.

  • Follow us on: