• ઇઝરાયેલ અને હમાસ યુદ્ધનો મૃત્યુઆંક 9000ને પાર
  • હમાસે કહ્યું છે કે તે તમામ બંધકોને મુક્ત કરવા માટે તૈયાર
  • ઇઝરાયેલની જેલમાં બંધ તમામ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવે
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 3 સપ્તાહથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન બંને બાજુથી વિનાશ થયો છે. મૃત્યુઆંક 9000ને પાર કરી ગયો છે. આ દરમિયાન હમાસે ઇઝરાયેલના બંધકોને મુક્ત કરવાની શરત મૂકી છે. હમાસે કહ્યું છે કે તે તમામ બંધકોને મુક્ત કરવા માટે તૈયાર છે જો કે ઇઝરાયેલની જેલમાં બંધ તમામ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવે. હમાસની લશ્કરી પાંખ અલ-કાસમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઉબૈદાએ જણાવ્યું હતું કે તમામ બંધકોની મુક્તિના બદલામાં ઇઝરાયલે તેમની જેલમાં બંધ તમામ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા પડશે.

7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલા બાદથી હમાસે આ લોકોને બંધક બનાવી રાખ્યા છે. જ્યારે હમાસે 7 ઓક્ટોબરે હુમલો કર્યો ત્યારે તેના લડવૈયાઓ પણ ઈઝરાયેલની સરહદમાં ઘૂસી ગયા હતા. હમાસે લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા. આ બંધકોને હમાસના લડવૈયાઓ ગાઝા લઈ ગયા હતા. એવું માનવામાં આવે છે કે બંધકોને હમાસ દ્વારા બનાવવામાં આવેલી સુરંગોમાં રાખવામાં આવ્યા છે.

નેતન્યાહુ પરિવારોને મળ્યા

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ શનિવારે બીજી વખત બંધકોના પરિવારોને મળ્યા હતા. આ દરમિયાન તેની પત્ની સારા પણ તેની સાથે હાજર હતી. પરિવારો સાથેની મુલાકાત દરમિયાન નેતન્યાહૂએ કહ્યું હતું કે તેઓ બંધકોને છોડાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે. આ યુદ્ધનો હેતુ બંધકોની મુક્તિ પણ છે.

ઈરાને પણ હમાસની શરત રાખી હતી

હાલમાં જ ઈરાને બંધકોની મુક્તિ માટે હમાસને ઈઝરાયલ સમક્ષ શરત મૂકી હતી. ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર હુસૈન અમીર અબ્દુલ્લાહિયાએ કહ્યું હતું કે, અમારી ચર્ચા મુજબ હમાસ નાગરિકોને મુક્ત કરવા તૈયાર છે. પરંતુ વિશ્વએ ઇઝરાયેલની જેલમાં બંધ 6000 પેલેસ્ટિનિયનોની મુક્તિનું સમર્થન કરવું જોઈએ.

7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલુ

7 ઓક્ટોબરે હમાસે ગાઝા પટ્ટીમાંથી 5 હજારથી વધુ રોકેટ ફાયર કરીને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ તરત જ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી હતી. આ બે સપ્તાહના યુદ્ધમાં ગાઝા પટ્ટી સંપૂર્ણપણે નાશ પામી છે. હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 1400થી વધુ ઈઝરાયેલના નાગરિકો માર્યા ગયા છે. હમાસના લડવૈયાઓએ 200થી વધુ નાગરિકોને બંધક બનાવ્યા છે. હમાસનો દાવો છે કે ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 50થી વધુ બંધકોના મોત થયા છે. આ યુદ્ધમાં મૃત્યુઆંક 9000ને પાર કરી ગયો છે.

  • Follow us on: