દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત પછી ક્રેમલિનના પ્રવક્તાઓએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેમને પીએમ મોદી અને ઝેલેન્સકીની મુલાકાત પર વાત કરી હતી. તેમને એ સવાલનો પણ જવાબ આપ્યો કે ઝેલેન્સકીએ અજીત ડોભાલના હાથ શું પુતિન માટે કોઈ સંદેશ મોકલ્યો છે.
 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના સમકક્ષો સિવાય બીજા દેશોના નેતાઓ સાથે પણ મળતા હોય છે. પરંતુ જ્યારે ગુરુવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તેઓને મળવા પહોંચ્યા તો તેઓએ ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એનએસએ ડોભાલે રશિયાના રાષ્ટ્રપતિ સાથે સેંટ પિટસબર્ગના પેલેસમાં મુલાકાત કરી હતી અને પીએમ મોદીની તાજેતરમાં યુક્રેન પ્રવાસથી તેઓને માહિતગાર કર્યા હતા.

રશિયન રાષ્ટ્રપતિ સાથે એનએસએની મુલાકાત પીએમ મોદીના યુક્રેન પ્રવાસના આશરે ત્રણ અઠવાડિયા પછી થઈ છે. યુક્રેન જતા પહેલા જુલાઈની શરૂઆતમાં પીએમ મોદી રશિયા પ્રવાસે ગયા હતા. જ્યાં તેઓએ પુતિન સાથે મુલાકાત કરી હતી. 

પીએમ મોદી સાથે મુલાકાત બાદ અજીત ડોભાલ શું બોલ્યા?
રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે પોતાની મુલાકાત અંગે તમને બતાવવા માગતા હતા. ડોભાલે આગળ જણાવ્યું કે, હું વિશેષ રીતે વ્યકિતગત રીતે તમને મળું અને બંને નેતાઓએ વચ્ચે થયેલી મુલાકાત અંગે તમને જણાઉં. વાતચીત ખૂબ જ ક્લોઝ ફોર્મેટમાં થઈ જ્યાં માત્ર બંને નેતાઓ હાજર હતા. તેઓની સાથે ઝેલેન્સકીની સાથે બે લોકો હતા. અને હું પીએમ મોદીની સાથે હતો. જેથી હું ત્યાં થયેલી વાતચીતનો સાક્ષી છું.

અજીત ડોભાલ સાથે મુલાકાત બાદ પુતિનની પ્રતિક્રિયા
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કર્યા બાદ રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું મને યાદ છે. મેં અમારી પ્રથમ બેઠકમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીની રશિયા યાત્રા સફળ રહી હોવા ઉપરાંત અમે જે નિર્ણય કર્યો હતો તેની પર કામ યોગ્ય ગતિથી ચાલી રહ્યું છે. અમારી વિશેષ રણનીતિક ભાગીદારી સાનદાર અને મજબૂત રીતે આગળ વધી રહી છે, જેને લઈ અમને ખુશી છે.
  • Follow us on: