યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મોટું નિવેદન આપ્યું છે. ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ટૂંક સમયમાં મૃત્યુ થશે અને તેનાથી બંને દેશો વચ્ચે યુદ્ધનો અંત આવશે. એક અહેવાલ મુજબ ઝેલેન્સકીએ પેરિસમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ઝેલેન્સકીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિનના સ્વાસ્થ્યને લઈને ઘણી અટકળો ચાલી રહી છે.
ઝેલેન્સકીએ શું કહ્યું?













