- હિન્દુ ધર્મ, જ્યોતિષ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ઘટના
- શું 'રિંગ ઓફ ફાયર' કરશે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને અસર?
- સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ રેખામાંથી પસાર થશે
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. આ વખતે આ શાનદાર મેચ માટે 14 ઓક્ટોબર 2023ની તારીખ નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પહેલા આ મેચ 15 ઓક્ટોબરે યોજાવાની હતી. પરંતુ હવે તેની તારીખ બદલીને 14 ઓક્ટોબર કરવામાં આવી છે. તે જ દિવસે એટલે કે 14 ઓક્ટોબર 2023ના રોજ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ થવાનું છે. સૂર્યગ્રહણને હિન્દુ ધર્મ, જ્યોતિષ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વૈજ્ઞાનિકો માટે આ પ્રસંગ બ્રહ્માંડમાં બનતી અદ્ભુત ઘટનાઓમાંથી એક છે જ્યારે હિન્દુ ધર્મમાં ગ્રહણને શુભ માનવામાં આવતું નથી.
14મી ઓક્ટોબર શા માટે છે ખાસ?
આ ટૂર્નામેન્ટની સૌથી મહત્વપૂર્ણ મેચોમાંની એક હશે અને ભારત-પાકિસ્તાન મેચનું વિશ્વ કપ જીતવા જેટલું જ મહત્વ છે. આ દિવસે જે સૂર્યગ્રહણ થવાનું છે તે જ્યોતિષ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 14 ઓક્ટોબરે રાત્રે 08:34 વાગ્યે સૂર્યગ્રહણ થશે, જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ રેખામાંથી પસાર થશે અને ચંદ્રનો પડછાયો સૂર્ય પર પડશે.
ભારતમાં નહીં દેખાય ગ્રહણ
ઑક્ટોબરમાં થનારું સૂર્યગ્રહણ એક વલયાકાર સૂર્યગ્રહણ હશે જેને દુર્લભ ગ્રહણ માનવામાં આવે છે. તેને 'રિંગ ઓફ ફાયર' પણ કહેવામાં આવે છે. જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી આ ગ્રહણની ભારત પર કોઈ વિપરીત અસર નહીં થાય.
અસ્વીકરણ
અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે સંદેશ ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા આ વિષય સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.