- હિંદુ શાસ્ત્રો અનુસાર દર વર્ષે ચાર મહિના એવા હોય છે જેમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં પોઢે
- ભગવાન શિવને સૃષ્ટિના સંચારનું કામ સોંપે
- ભગવાન યોગ નિદ્રામાં જતાની સાથે જ વિવાહ, જનોઇ, ગ્રહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યો અટકી જાય
હિંદુ ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્વ છે. હિંદુ શાસ્ત્રો અનુસાર દર વર્ષે ચાર મહિના એવા હોય છે જેમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રા માટે ક્ષીર સાગરમાં જાય છે. આ સમય દરમિયાન તે ભગવાન શિવને સૃષ્ટિના સંચારનું કામ સોંપે છે. ભગવાન યોગ નિદ્રામાં જતાની સાથે જ વિવાહ, જનોઇ, ગ્રહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યો અટકી જાય છે. આ વર્ષે 23 જૂને એટલે કે દેવશયની એકાદશીના દિવસે શ્રી હરિ યોગ નિદ્રામાં ગયા હતા, ત્યારથી ચાતુર્માસ શરૂ થઈ ગયો હતો, જે કારતક મહિનામાં આવતી દેવઉઠી એકાદશી પર સમાપ્ત થાય છે. જાણો ક્યારે શરૂ થશે શુભ કાર્યો.
આ વર્ષે ચાતુર્માસ 5 મહિના રહ્યો હતો
હિંદુ કેલેન્ડર મુજબ, સામાન્ય રીતે દર વર્ષે 4 મહિનાનો ચાર્તુમાસ હોય છે. પરંતુ આ વખતે અધિક માસના કારણે ચાતુર્માસ પૂરા પાંચ મહિના ચાલ્યો છે. આ વર્ષે બે શ્રાવણ મહિના આવ્યા હતા.
ચાતુર્માસ એટલે શું?
હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સમગ્ર સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવને સોંપે છે અને ક્ષીરસાગરમાં સૂઈ જાય છે. આ પછી તે કારતક માસના શુક્લ પક્ષમાં આવતી દેવઉઠી એકાદશીના દિવસે જાગે છે. આ સમયગાળો ચાર મહિના સુધી ચાલે છે. આ કારણે તેને ચાતુર્માસ કહેવામાં આવે છે.
ચાતુર્માસ 2023 ક્યારે સમાપ્ત થશે?
પંચાંગ અનુસાર કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવઉઠી એકાદશી, દેવોત્થાન એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે દેવઉઠી એકાદશી 23 નવેમ્બર 2023ના રોજ છે. આ દિવસથી શુભ કાર્ય થવા લાગશે.
નવેમ્બરમાં લગ્ન માટે શુભ સમય
નવેમ્બર 2023માં લગ્નની તારીખો 24 નવેમ્બર, 25 નવેમ્બર, 27 નવેમ્બર, 28 નવેમ્બર અને 29 નવેમ્બર 2023
ડિસેમ્બરમાં લગ્ન માટે શુભ સમય છે
ડિસેમ્બરમાં લગ્ન માટેનો શુભ સમય 4 ડિસેમ્બર, 5 ડિસેમ્બર, 6 ડિસેમ્બર, 7 ડિસેમ્બર, 8 ડિસેમ્બર, 9 ડિસેમ્બર અને 15 ડિસેમ્બર છે.