- ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે
- આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન જયંતિના દિવસે કેટલીક ભૂલોથી બચવું
હનુમાન જયંતિનો તહેવાર આવવાનો છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. હનુમાન જયંતિ બજરંગબલીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે. હનુમાન જયંતિ પર બજરંગબલીની પૂજા કરવાથી જીવનના સૌથી મોટા સંકટ દૂર થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન જયંતિના દિવસે કેટલીક ભૂલોથી બચવું જોઈએ.
સુતક હોય તો પૂજા ન કરશો
સુતક કાળમાં હનુમાનજીની પૂજા ક્યારેય ન કરવી જોઈએ. સૂતક કાળ ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે એટલું જ નહીં, જે ઘરમાં કોઈનું મૃત્યુ થયપ હોય તો તે વ્યક્તિના મૃત્યુ પછી ઘરમાં 13 દિવસ સુતકનો સમય હોય છે. આ સમયગાળા દરમિયાન હનુમાનજીની પૂજા કરવાની મનાઈ છે. આ સિવાય કોઇને ત્યાં બાળકનો જન્મ થયો હોય તો સુતક લાગે છે. આ સમયે હનુમાનજીની પૂજા કરવાથી દુર જ રહેવુ જોઇએ.

ખાસ નિયમોનું કરો પાલન
હનુમાન જયંતિના દિવસે બ્રહ્મચર્યનું ખૂબ જ કડક પાલન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન હનુમાન સ્વયં સ્ત્રીઓના સ્પર્શને ટાળતા હતા. જો કોઈ મહિલા ઘરના મંદિરમાં પૂજા કરતી હોય તો તેણે પણ બજરંગબલીની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ. કેમકે હનુમાનજી ખુબજ પવિત્ર છે તેમની પૂજા કરવામાં ખુબજ ખાસ ધ્યાન રાખવી જોઇએ.
ચરણામૃત
બહુ ઓછા લોકો જાણતા હશે કે હનુમાનજીની પૂજામાં ચરણામૃતનો ઉપયોગ ક્યારેય થતો નથી. હનુમાન જયંતિ પર બજરંગબલીને ચરણામૃતથી સ્નાન કરવાનું ટાળવું જોઈએ. તેમની પૂજામાં ચરણામૃત ચઢાવવાથી પૂજા અધુરી રહી જાય છે.
કાળા અને સફેદ વસ્ત્રો ન પહેરો
બજરંગબલીની પૂજા કરતી વખતે કાળા કે સફેદ વસ્ત્રો ન પહેરો. તેના પરિણામો ખૂબ જ અશુભ હોઈ શકે છે. હનુમાનજીની પૂજા ફક્ત અને માત્ર લાલ રંગના વસ્ત્રો પહેરીને જ કરવી જોઈએ.
તૂટેલી કે ખંડિત મૂર્તિ
હનુમાન જયંતિ પર પૂજા માટે બજરંગબલીની તૂટેલી કે ખંડિત મૂર્તિનો ઉપયોગ ન કરો. જો તમારા ઘરના મંદિરમાં બજરંગબલીની આવી કોઈ મૂર્તિ હોય તો તેને તરત જ હટાવી દો. આવી મૂર્તિને પાણીના પ્રવાહમાં પ્રવાહિત કરો તો સારું રહેશે.